SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ * આગમિક વ્યાખ્યાઓ ૩. આવશ્યકનિર્યુક્તિના પ્રારંભમાં દસ નિર્યુક્તિની રચના કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવી છે. તેનાથી એ સ્વતઃ સિદ્ધ છે કે સર્વપ્રથમ આવશ્યકનિર્યુક્તિ લખવામાં આવી. આવશ્યકનિર્યુક્તિની નિહ્નવવાદ સમ્બન્ધિત પ્રાયઃ બધી ગાથાઓ જેમની તેમ ઉત્તરાધ્યયનનિર્યુક્તિમાં લખવામાં આવી છે. તેનાથી એ સિદ્ધ થાય છે કે ઉત્તરાધ્યયનનિર્યુક્તિની રચના આવશ્યકનિર્યુક્તિ પછી જ થઈ હતી. ૪. આચારાંગનિર્યુક્તિ (ગા. ૫)માં કહેવામાં આવ્યું છે કે “આચાર' અને અંગ'ના નિક્ષેપનું કથન પહેલાં થઈ ચૂક્યું છે. તેથી દશવૈકાલિક અને ઉત્તરાધ્યયનની નિર્યુક્તિની રચના આચારાંગનિર્યુક્તિની પૂર્વે સિદ્ધ થાય છે, કેમકે દશવૈકાલિકના “શુલ્લિકાચાર' અધ્યયનની નિયુક્તિમાં “આચાર'ની તથા ઉત્તરાધ્યયનના “ચતુરંગ' અધ્યયનની નિર્યુક્તિમાં “અંગ’ શબ્દની જે વ્યાખ્યા કરવામાં આવી છે તેનો જ ઉપર્યુક્ત ઉલ્લેખ છે. ૫. આચારાંગનિર્યુક્તિ (ગા.૩૪૬)માં લખવામાં આવ્યું છે કે “મોક્ષ' શબ્દની નિર્યુક્તિ અનુસાર જ “વિમુક્તિ' શબ્દની વ્યાખ્યા છે. આ કથન ઉત્તરાધ્યયનના “મોક્ષ” શબ્દની નિયુક્તિ સાથે સમ્બન્ધ ધરાવે છે. તેનાથી એ જ સિદ્ધ થાય છે કે આચારાંગનિર્યુક્તિ પહેલાં ઉત્તરાધ્યયનનિર્યુક્તિની રચના થઈ હશે. ૬. સૂત્રકૃતાંગનિર્યુક્તિ (ગા.૯૯)માં કહેવામાં આવ્યું છે કે “ધર્મ' શબ્દનો નિક્ષેપ પહેલાં થઈ ચૂક્યો છે. આ કથન દશવૈકાલિકનિયુક્તિની રચના સૂત્રકૃતાંગનિર્યુક્તિની પૂર્વે થઈ હોવાનું સૂચવે છે. ૭. સૂત્રકૃતાંગનિર્યુક્તિ (ગા. ૧૨૭)માં કહેવામાં આવ્યું છે કે “પ્રન્થનો નિક્ષેપ પહેલાં થઈ ચૂક્યો છે. આ કથન ઉત્તરાધ્યયનનિર્યુક્તિ (ગા. ૨૪૦)ને અનુલક્ષીને છે. તેનાથી એ જ સિદ્ધ થાય છે કે સૂત્રકૃતાંગનિર્યુક્તિ પૂર્વે ઉત્તરાધ્યયનનિર્યુક્તિની રચના થઈ હતી. નિર્યુક્તિકાર આચાર્ય ભદ્રબાહુ : ભદ્રબાહુ નામના એકથી વધારે આચાર્ય થયા છે. શ્વેતામ્બર-માન્યતા અનુસાર ચતુર્દશપૂર્વધર આચાર્ય ભદ્રબાહુ નેપાળમાં યોગસાધના માટે ગયા હતા, જ્યારે દિગમ્બર-માન્યતા અનુસાર આ જ ભદ્રબાહુ નેપાળમાં ન જતાં દક્ષિણમાં ગયા હતા. આ બે ઘટનાઓ પરથી એ અનુમાન થઈ શકે છે કે આ બંને ભદ્રબાહુ ભિન્ન-ભિન્ન વ્યક્તિ હતા. નિર્યુક્તિઓના કર્તા ભદ્રબાહુ આ બંનેથી અલગ કોઈ ત્રીજી વ્યક્તિ જ છે. તે ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુ ન હોતાં વિક્રમની છઠ્ઠી શતાબ્દીમાં વિદ્યમાન અન્ય જ ભદ્રબાહુ છે જે પ્રસિદ્ધ જ્યોતિર્વિદ વરાહમિહિરના સહોદર હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy