SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ - W પ્રાસ્તાવિક અવગ્રહાનન્તક તથા અવગ્રહપટ્ટકનો ઉપયોગ, નિર્ગુન્શી દ્વારા વસ્ત્રાદિગ્રહણ, નવદીક્ષિત શ્રમણ-શ્રમણીઓ માટે ઉપધિની મર્યાદા," પ્રથમ વર્ષાઋતુમાં ઉપધિગ્રહણની વિધિ, વસ્ત્રવિભાજનની નિર્દોષ વિધિ, અભ્યસ્થાન-વંદના વગેરે કરવાનું વિધાન, કોઈ ઘરની અંદર અથવા બે ઘરની વચ્ચે સૂવા-બેસવાનો નિષેધ શય્યા-સંસ્તારકની યાચના તથા રક્ષા, અસુરક્ષિત સ્થાનનો ત્યાગ. ભિન્ન તથા અભિન્ન વસ્ત્રનું સ્વરૂપ બતાવતાં આચાર્યે વસ્ત્ર ફાડવાથી થનારી હિંસા અહિંસાની ચર્ચા કરી છે. આ ચર્ચામાં નિમ્નોક્ત બાબતોનો વિચાર કરવામાં આવ્યો છે : દ્રવ્યહિંસા અને ભાવહિંસાનું સ્વરૂપ, હિંસામાં રાગાદિની તીવ્રતા અને તીવ્ર કર્મબંધ, રાગાદિની મંદતા અને મંદ કર્મબંધ, હિંસકમાં જ્ઞાન અને અજ્ઞાનના કારણે કર્મબન્ધનું ન્યૂનાધિક્ય, અધિકરણની વિવિધતાથી કર્મબંધનું વૈવિધ્ય, હિંસકની દેહાદિની શક્તિને કારણે કર્મબંધનની વિચિત્રતા. અવગ્રહાનન્તક અને અવગ્રહપટ્ટકના ઉપયોગની ચર્ચા કરતાં આચાર્યે એ વાતનું સમર્થન કર્યું છે કે નિર્ચસ્થો માટે આ બંનેનો ઉપયોગ વર્જિત છે જયારે નિર્ઝન્થીઓ માટે તેમનો ઉપયોગ અનિવાર્ય છે. આ પ્રસંગે અપૂર્ણ વસ્ત્ર-ધારણનો નિષેધ કરતાં ભાષ્યકારે નિર્ઝન્થીઓના અપહરણ વગેરેની ચર્ચા કરી છે. ગર્ભાધાનની ચર્ચા કરતાં બતાવવામાં આવ્યું છે કે પુરુષ-સંસર્ગના અભાવમાં પણ નિમ્નોક્ત પાંચ કારણોથી ગર્ભાધાન થઈ શકે છે : ૧. દુર્વિકૃત તથા દુર્વિષષ્ણ સ્ત્રીની યોનિમાં પુરુષનિસૃષ્ટ શુક્રપુગલ કોઈ રીતે પ્રવિષ્ટ થઈ જાય, ૨. સ્ત્રી સ્વયં પુત્ર ઈચ્છાથી તેને પોતાની યોનિમાં પ્રવિષ્ટ કરાવે, ૩. અન્ય કોઈ તેને તેની યોનિમાં રાખી દે, ૪. વસ્ત્રસંસર્ગથી શુક્રપુદ્ગલ સ્ત્રી-યોનિમાં પ્રવિષ્ટ થઈ જાય, ૫. ઉદકાચમનથી સ્ત્રીની અંદર શુક્રપુલ પ્રવિષ્ટ થઈ જાય. ચતુર્થ ઉદ્દેશની વ્યાખ્યામાં નિમ્નલિખિત વિષયોનું વિવેચન કરવામાં આવ્યું છે : હસ્તકર્મ, મૈથુન અને રાત્રિભોજન માટે અનુદ્ધાતિક અર્થાત ગુરુ પ્રાયશ્ચિત્ત, દુષ્ટ, પ્રમત્ત અને અન્યોન્યકારક માટે પાંરાંચિક પ્રાયશ્ચિત્ત, સાધર્મિક-તૈન્ય, અન્યધાર્મિકૌંચ તથા હસ્તાતાલ માટે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત, પંડક, ક્લીબ અને વાતિક માટે પ્રવ્રયાનો નિષેધ, અવિનીત, વિકૃતિપ્રતિબદ્ધ અને અવ્યવશમિતકષાય માટે વાચનાનું વર્જન, દુષ્ટ, મૂઢ સંથા વ્યક્ઝાહિત માટે ઉપદેશનો નિષેધ, રુણ નિર્ઝન્થ-નિર્ઝન્થીઓની યતનાપૂર્વક સેવા-સુશ્રુષા, કાલાતિક્રાન્ત તથા ક્ષેત્રાતિક્રાન્ત અશનાદિની અધ્યતા, અકથ્ય અશનાદિનો નિર્દોષ ઉપયોગ તથા વિસર્જન, અશનાદિકની કલ્પના અને અધ્યતા, ગણાન્તરોપસંપદાનું ગ્રહણ તથા તેની યથોચિત વિધિ, મૃત્યુપ્રાપ્ત ભિક્ષુકના શરીરની પરિઝાપના, ભિક્ષુકનું ગૃહસ્થ સાથે અધિકરણ – ઝઘડો અને તેનું વ્યવશમન, ક +- ' r , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy