SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ નિશીથ-વિશેષચૂર્ણિ સુત્તો ।૧ માતૃસમૂહ અર્થાત્ માતાઓ સમાન નારીઓનાં વૃંદને માતૃગ્રામ માઉગ્ગામ કહે છે. અથવા સામાન્ય સ્ત્રી-વર્ગને માઉગામ કહેવાય જેમ કે મરાઠીમાં સ્ત્રીને માઉગ્ગામ કહેવામાં આવે છે. મિથુનમાત્ર અથવા મિથુનકર્મને મૈથુન મેહુણ કહે છે. પડિયા – પ્રતિજ્ઞાનો અર્થ છે મૈથુનસેવનની પ્રતિજ્ઞા. વિષ્ણવણા વિજ્ઞાપનાનો અર્થ છે પ્રાર્થના. જે સાધુ મૈથુનસેવનની કામનાથી કોઈ સ્ત્રીને પ્રાર્થના કરે છે તેના માટે ચાતુર્માસિક ગુરુ પ્રાયશ્ચિત્તનું વિધાન છે. - : માતૃગ્રામના ત્રણ પ્રકાર છે ઃ દિવ્ય, માનુષ અને તિર્યક્. આમાંથી પ્રત્યેકના બે ભેદ છે : દેહયુક્ત અને પ્રતિમાયુક્ત. દેહયુક્તના ફરી બે ભેદ છે : સજીવ અને નિર્જીવ. પ્રતિમાયુક્તના પણ બે પ્રકાર છે ઃ સન્નિહિત અને અસન્નિહિત. વિજ્ઞાપના બે પ્રકારની હોય છે : અવભાષણતા પ્રાર્થના અને તાવાસેવનતા મૈથુનાસેવન. આચાર્યે આ ભેદ-પ્રભેદોનું વિસ્તૃત વિવેચન કર્યું છે. ‘ને મિલ્લૂ માડમલ્સ મેદુળવડિયાત્ તેદું નિહતિ.....'(સૂ. ૧૩)ની વ્યાખ્યા કરતાં ચૂર્ણિકારે કામીઓના પ્રેમ-પત્ર-લેખનનું વિશ્લેષણ કર્યું છે અને બતાવ્યું છે કે લેખ બે પ્રકારનો હોય છે ઃ છન્ન અર્થાત્ અપ્રકાશિત અને પ્રકટ અર્થાત્ પ્રકાશિત. છન્ન લેખ ત્રણ પ્રકારનો છે : લિપિછન્ન, ભાષાછત્ર અને અર્થછન્ન. આચાર્યે દરેકનું સ્વરૂપ બતાવ્યું છે. ર - ઉદેશના અંતમાં એમ બતાવવામાં આવ્યું છે કે જે વાતો પુરુષો માટે કહેવામાં આવી છે તેમનો સ્ત્રીઓ માટે પણ ઉપયોગ કરી લેવો જોઈએ. ભિક્ષુના સ્થાન પર ભિક્ષુણી મૂકીને માતૃગ્રામના સ્થાને પિતૃગ્રામનો પ્રયોગ કરી લેવો જોઈએ. જેમકે ચૂર્ણિકાર કહે છે : પુરિસાળ નો ગમો થીવળે મળિતો નહા- ' भिक्खू माउग्गाम मेहुणवडिया । विण्णवेति' एस इत्थीणं पुरिसवग्गे वत्तव्वो- 'जा भिक्खुणी वि पिउग्गामं મેદુળવડિયા” વિખ્તવેક્.......'Y સપ્તમ ઉદ્દેશ : Jain Education International ૩૧૧ ષષ્ઠ ઉદેશના અંતિમ સૂત્રમાં વિકૃત આહારનો નિષેધ કરવામાં આવ્યો છે. આ નિષેધ આવ્યંતર આહારની દૃષ્ટિએ છે. સપ્તમ ઉદેશનાં પ્રથમ સૂત્રમાં કામી ભિક્ષુ માટે તે વાતનો નિષેધ કરવામાં આવ્યો છે કે પત્ર-પુષ્પાદિની માળાઓ ન તો સ્વયં બનાવે, ન બીજાઓ પાસે બનાવડાવે. આ નિષેધ કામના બાહ્ય આહારની દૃષ્ટિએ છે. આ જ રીતે કુંડળ, મુક્તાવલી, કનકાવલી વગેરે બનાવવાં, ધારણ કરવાં વગેરેનો પણ આગળના સૂત્રોમાં નિષેધ કરવામાં આવ્યો છે. ચૂર્ણિકારે કુંડળ વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે : કુંડાં ઝામરળ, મુળ ડીસુત્તયં, મળી સૂર્યમળીમાવ્ય, ૧. પૃ. ૩૭૧. ૨. પૃ. ૩૭૧-૨. ૩. પૃ.૩૮૫. ૪. પૃ. ૩૯૪. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy