SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ આમિક વ્યાખ્યાઓ આશ્રય લેવામાં આવ્યો છે ઃ ૧. પ્રત્યુપેક્ષણાદ્વાર, ૨. દિગ્વાર, ૩. ણન્તકદ્વાર, ૪. કાલંગતદ્વાર, ૫. જાગરણ-બંધન-છેદનદ્વાર, ૬. કુશપ્રતિમાદ્વાર, ૭. નિવર્તનદ્વાર, ૮. માત્રકદ્વાર, ૯. શીર્ષદ્વાર, ૧૦. તૃણાદિદ્વાર, ૧૧. ઉપકરણદ્વાર, ૧૨. કાયોત્સર્ગદ્વાર, ૧૩. પ્રાદક્ષિણ્યદ્વાર, ૧૪. અભ્યુત્થાનદ્વાર, ૧૫. વ્યાહરણદ્વાર, ૧૬. પરિષ્ઠાપક-કાયોત્સર્ગદ્વાર, ૧૭. ક્ષપણ-સ્વાધ્યાયમાર્ગણાદ્વા૨, ૧૮. વ્યુત્સર્જનદ્વા૨, ૧૯. અવલોકનદ્વા૨.૧ ૧૩. અધિકરણપ્રકૃતસૂત્ર – ભિક્ષુનું ગૃહસ્થ સાથે અધિકરણ – ઝઘડો થઈ ગયો હોય તો તેને શાંત કર્યા વિના ભિક્ષાચર્યા વગેરે કરવી અકલ્પ્ય છે. ૧૪. પરિહારિકપ્રકૃતસૂત્ર – પરિહારતપમાં સ્થિત ભિક્ષુને ઈન્દ્રમહાદિ ઉત્સવોના દિવસે વિપુલ ભક્ત-પાનાદિ આપી શકાય છે, પછીથી નહિ. તેની અન્ય પ્રકારની સેવા તો પછીથી પણ કરી શકાય છે. ૧૫. મહાનદીપ્રકૃતસૂત્ર – નિર્ગન્ધ-નિર્ઝન્થીઓએ ગંગા, યમુના, સરયૂ, કોશિકા, મહી વગેરે મહાનદીઓ મહિનામાં એકથી વધારે વા૨ પાર ન કરવી જોઈએ. ઐરાવતી વગેરે ઓછી ઊંડી નદીઓ મહિનામાં બે-ત્રણ વાર પાર કરી શકાય છે. નદી પાર કરવા માટે સંક્રમ, સ્થલ અને નોસ્થલ આ રીતે ત્રણ જાતના માર્ગ બતાવવામાં આવ્યાં છે.૪ ૧૬. ઉપાશ્રયવિધિપ્રકૃતસૂત્ર આ સૂત્રોની વ્યાખ્યામાં નિર્પ્રન્થ-નિગ્રન્થીઓ માટે વર્ષાઋતુ તથા અન્ય ઋતુઓમાં રહેવા યોગ્ય ઉપાશ્રયોનું વર્ણન કરવામાં આવ્યું છે.પ - ― પંચમ ઉદ્દેશ : પાંચમા ઉદ્દેશમાં બ્રહ્માપાય વગેરે અગિયાર પ્રકારનાં સૂત્રો છે. ભાષ્યકારે આ સૂત્રોની વ્યાખ્યામાં નિમ્ન વિષયોનો સમાવેશ કર્યો છે ઃ— ૧. બ્રહ્માપાયપ્રકૃતસૂત્ર – ગચ્છસંબંધી શાસ્ર-સ્મરણવિષયક વ્યાઘાતોનો ધર્મકથા, મહર્દિક, આવશ્યકી, નૈષેધિકી, આલોચના, વાદી, પ્રાધુણક, મહાજન, ગ્લાન વગેરે દ્વારોથી નિરૂપણ, શાસ્રસ્મરણ માટે ગુરુની આજ્ઞા, ગચ્છવાસના ગુણોનું વર્ણન. ૧. ગા. ૫૪૯૭-૫૫૬૫. ૪. ગા. ૫૬૧૮-૫૬૬૪. - - ૨. અધિકરણપ્રકૃતસૂત્ર – અધિકરણ – ક્લેશની શાંતિ ન કરીને સ્વગણ છોડીને અન્ય ગણમાં જનાર ભિક્ષુ, ઉપાધ્યાય, આચાર્ય વગેરે સંબંધિત પ્રાયશ્ચિત્ત, ક્લેશને કારણે ગચ્છનો ત્યાગ ન કરતાં ક્લેશયુક્ત ચિત્તે ગચ્છમાં રહેનાર ભિક્ષુ વગેરેને શાંત Jain Education International ૨, ગા. ૫૫૬૬-૫૫૯૩. ૫. ગા. ૫૬૬૫-૫૬૮૧. For Private & Personal Use Only ૩. ગા. ૫૫૯૪-૫૬૧૭. ૬. ગા. ૫૬૮૨-૫૭૨૫. www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy