SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ ૨ આગમિક વ્યાખ્યાઓ વૈકલિકી, સંઘાટી અને સ્કન્ધકરણી; જિનકલ્પિક, સ્થવિરકલ્પિક અને શ્રમણીઓની જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ઉપધિનો વિભાગ વગેરે.' અવગ્રહાનન્તક-અવગ્રહપટ્ટપ્રકૃતસૂત્રઃ નિર્ચન્થીઓએ અવગ્રહાનન્તક અને અવગ્રહપક નહીં રાખવાથી અનેક દોષો લાગે છે. આ વિષયમાં કેટલાક અપવાદો પણ છે. નિર્ચન્થીઓએ હંમેશા પૂરા વસ્ત્રો સહિત વિધિપૂર્વક બહાર નીકળવું જોઈએ. અવિધિપૂર્વક બહાર નીકળવાથી લાગનાર દોષોનું નિરૂપણ કરતાં ભાષ્યકારે નર્તકી વગેરેનાં ઉદાહરણ આપ્યાં છે. ધર્ષિત – અપહૃત નિર્ચન્થીના પરિપાલનની વિધિનો નિર્દેશ કરતાં તેનો અવર્ણવાદ -અવહેલના વગેરે કરનાર માટે પ્રાયશ્ચિત્તનું વિધાન કર્યું છે. આ જ પ્રસંગે આચાર્યે તે પણ દર્શાવ્યું છે કે પુરુષસંસર્ગના અભાવમાં પણ પાંચ કારણોથી ગર્ભાધાન થઈ શકે છે. તે પાંચ કારણો આ છે : ૧. દુર્વિવૃત અથવા દુર્વિષષ્ણ સ્ત્રીની યોનિમાં પુરુષનિસૃષ્ટ શુક્રપુગલ કોઈ રીતે પ્રવિષ્ટ થઈ જાય, ૨. સ્ત્રી સ્વયં અને પત્રકામનાથી તેમને પોતાની યોનિમાં પ્રવેશ કરાવે, ૩. અન્ય કોઈ તેમને તેની યોનિમાં રાખી દે, ૪. વસ્ત્રના સંસર્ગથી શુક્રપુગલં સ્ત્રી-યોનિમાં પ્રવિષ્ટ થઈ જાય, ૫. ઉદકાચમનથી સ્ત્રીની અંદર શુક્રપુદ્ગલ પ્રવિષ્ટ થઈ જાય. નિશ્રામકૃત તથા ત્રિકૃમ્નપ્રકૃતસૂત્રઃ જેમ કે પહેલાં કહેવામાં આવી ચૂક્યું છે, ભિક્ષા માટે ગયેલી નિર્ચન્થીને વસ્ત્ર વગેરેનું ગ્રહણ કરવું હોય તો પ્રવર્તિનીની નિશ્રામાં કરવું જોઈએ. જો પ્રવર્તિની સાથે ન હોય તો તે ક્ષેત્રમાં જે આચાર્ય વગેરે હોય તેમની નિશ્રામાં કરવું જોઈએ. ત્રિકૃત્નપ્રકૃતસૂત્રની વ્યાખ્યામાં એ વિધાનનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે પ્રથમ દીક્ષા ગ્રહણ કરનાર શ્રમણ માટે રજોહરણ, ગોશ્યક અને પ્રતિગ્રહરૂપ ત્રણ પ્રકારની ઉપધિનું ગ્રહણ વિહિત છે. જો દીક્ષા લેનારે પહેલાં જ દીક્ષા લઈ લીધી હોય તો તે નવી ઉપાધિ લઈને પ્રવ્રજિત નથી થઈ શક્તો. આ પ્રસંગે આચાર્યો નિમ્ન વિષયોનું વિવેચન કર્યું છે : પ્રથમ દીક્ષા ગ્રહણ કરનાર શિષ્ય માટે ચૈત્ય, આચાર્ય, ઉપાધ્યાય, ભિક્ષુ વગેરેના પૂજા-સત્કારની વિધિ; તદ્વિષયક વિશોધિકોટિઅવિશોધિકોટિનું સ્વરૂપ; રજોહરણ, ગોચ્છક અને પ્રતિગ્રહરૂપ ત્રિકૃત્નના ક્રયને યોગ્ય કુત્રિકાપણ; કુત્રિકાપણવાળા નગર; નિર્ચન્થી માટે ચતુ કર્ન ઉપધિ વગેરે. ૧. ગા. ૩૯૧૮-૪૦૯૯. ૩. ગા. ૪૧૪૮-૪૧૮૮. ૨. ગા. ૪૧૦૦-૪૧૪૭. ૪. ગા. ૪૧૮૯-૪૨૩૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy