SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ હું ત્યાં બેસીને એ વાતો સાંભળતી હોઉં એવે વખતે પણ ત્રણેક વાર તો સંભળાવી હશે જ.) હજુ દાદ યતિઓ વિશે વાત કરવા ઉત્સુક છે. વાતો આગળ ચાલે છે. હવે તેઓ યતિજીવનમાં સાધુજીવનમાં પ્રવેશેલી શિથિલતા સંદર્ભે વાતો કરે છે : “સાધુઓમાં શિથિલાચાર શરૂ થાય ત્યારે યતિ-પરંપરા બળવત્તર બને. દેવસાના પાડામાં આવા એક યતિ. નામ શ્રી શાંતિવિમલજી. તેમણે સૈજપુર બોઘાની આસપાસના વિસ્તારમાં પોતાની ગૃહસ્થી પણ શરૂ કરેલી અને ઘેર ઘોડિયું બંધાયું હતું. “દેવસાના પાડાનો જ્ઞાનભંડાર ખૂબ જ સમૃદ્ધ. ઈન્ડોલૉજીની સ્થાપના બાદ એમનામાંના જ એક સાધુ વારંવાર અમારે ત્યાં આવે અને ભંડાર લઈ જવાનું જણાવે. જો નહિ લઈ જાવ તો ભંડાર વેચાઈ જશે એમ કહે. સંસ્થા દ્વારા મને (દાદાને) મોકલવામાં આવ્યો. જ્ઞાનભંડાર શાંતિભાઈ સંભાળતા પરંતુ તેમના પર કબજો પૂરો યતિશ્રી શાંતિવિમલજીનો. એમની પાસે ગયો તો ના પાડી. “આ સંસ્થામાં (ઈન્ડોલૉજી)માં આવેલા ગ્રંથો ભેગા કરવા માટે કેટકેટલાને સમજાવવા પડ્યા છે ? ! સરળતાથી આ ભંડાર થયો નથી. યતિઓની પકડ સમાજ પર ઘણી હતી. લોકોની અંધશ્રદ્ધાનો લાભ લે. શ્રાવકો ડરના માર્યા કે કોઈ ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવાના મોહમાં યતિઓના શિથિલાચારને જાણે-અજાણે પોષતા હતા. “સાધુઓના શિથિલાચાર વધતાં “શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘસમિતિની રચના કરવામાં આવેલી. એમાં એવો ઠરાવ થયેલો કે કોઈ સાધુનો શિથિલાચાર સાબિત થાય તો એને સંસારમાં પાછો લાવી દેવો. રતલામમાં એક સાધુ. એ સાધુ લોકોના રોગો – મુશ્કેલીઓ – અડચણો દૂર કરવાનો દાવો કરે, અને તેના પૈસા લે. પૈસા ઓઘામાં સાચવે. સમિતિવાળાને ખબર પડતાં તેઓ ત્યાં ગયા. ઓઘો તપાસ્યો. રૂપિયા નીકળ્યા. સાથે સંસારી-વેશનાં કપડાં લઈને ગયેલા, તરત તે કપડાં પહેરાવી દીધાં. જોકે, આ પ્રકારના શુદ્ધિ યજ્ઞમાં ઝાઝી સફળતા પ્રાપ્ત થઈ નહીં. ક્યાંક આથી જુદું જ બને, નાનું ગામ હોય, સંઘમાં બે ભાગલા હોય અને સંઘના કેટલાક લોકોને શિથિલાચારી સાધુનો પણ ખપ પડતો હોય. એવા લોકો સમિતિના સભ્યોને ગાંઠે નહિ. “એક વાર યુવાન યતિઓનું સંમેલન ભરાયું હતું. ત્યાં હું પણ ગયો હતો. મારા જવાનો હેતુ પુસ્તકો કોની પાસે છે તે જાણવાનો અને શક્ય હોય તો ખરીદવાનો હતો. આ સંમેલનમાં એક વૃદ્ધ યતિ ઉપસ્થિત હતા. એક યુવાન યતિએ પ્રસ્તાવ મૂક્યો કે દરેક યુવાન યતિએ લગ્ન કરવાં. પેલા વૃદ્ધ યતિ ખૂબ જ ગુસ્સે થઈ ગયા. આવા પ્રસ્તાવ બદલ એ લોકોને ઘણો ઠપકો આપ્યો. અને ત્યાંથી ઊભા થઈને ચાલ્યા ગયેલા. “મુંબઈમાં એક સાધુ હતા. ચારિત્ર્યમાં ખૂબ જ શિથિલ હતા. તે પોતાની સાથે એક સ્ત્રીને રાખતા અને તે પોતાની ભાભી હોવાનું સૌને જણાવતા. એક વાર એ સાધુ અને પેલી સ્ત્રી રૂમનું બારણું બંધ કરીને અંદર હતાં. બહાર શ્રાવકોનું ટોળું એકત્રિત થયું. પણ કોઈની એવી હિંમત ન હતી કે પેલું બારણું તોડી નાખે. સંઘ કેટલો મજબૂત છે - વીર્યવાન છે તે પર જ બધો આધાર રહે છે. પેલો સાધુ તક મળતાં ત્યાંથી ભાગી છૂટ્યો અને ગુજરાતમાં અમદાવાદ નજીક આવ્યો. થોડાક સમય બાદ ધીમે ધીમે અમદાવાદથી ૧૫-૨૦ કિલોમીટર દૂર મોટી જગ્યામાં તીર્થ બાંધવાનું શરૂ કર્યું. આજે એ તીર્થમાં હજારો શ્રાવકો દર્શન કરવા જાય છે. સૌને આ તીર્થના અસલ ઇતિહાસની જાણ હોતી નથી. સેંકડો શ્રાવકો અંધશ્રદ્ધાથી કે લોભના માર્યા એ ના ચરણમાં મસ્તક નમાવીને રૂપિયાનો ઢગલો કરે છે !!! વખત જતાં રૂપિયાનો એ ઢગલો એટલો મોટો થઈ ગયો છે કે એ સાધુના પોતાના નામના જ બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયાની રકમ જમા પડેલી છે !!! આજના સમયમાં યતિપરંપરા નવેસરથી નવા સ્વરૂપે પોતાની શાખાઓ વિસ્તારે છે.” શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy