SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ મોટા ભાગના લોકો ગાળી દે છે-વેડફી નાખે છે. એ જોઈએ-જાણીએ ! છે ત્યારે મનુષ્યની આ મૂર્ખામી પ્રત્યે હસવું આવ્યા સિવાય રહેતું નથી. > શ્રી બૃહદ્ આલોચના પાઠમાં એક ગાથા છે, “વરસ દિનાકી ગાંઠકો, ઉત્સવ ગાય બજાય; મૂરખ નર સમજે નહીં, વરસ ગાંઠકો જાય.” આપણામાંના મોટા ભાગના લોકો વરસગાંઠને દિવસે જાતજાતનું ન ખાવાનું કરીને તથા ફટાકડા ફોડીને કે ધજા-પતાકા વગેરે શણગાર ' કરીને ઉત્સવ મનાવીએ છીએ. ખરેખર તો, હવે મારે જેટલાં વર્ષ છે જીવવાનું છે તેમાંથી એક વર્ષ ઓછું થયું એમ વિચારીને ગંભીર થઈને આત્મસાધનામાં લાગી જવું જોઈએ. કવિ કહે છે કે આપણી મૂર્ખામીથી આપણે ઊંધા વર્તીએ છીએ. મનુષ્યની આવી મૂર્ખામી છે જોઈને હસવું આવ્યા વગર રહેતું નથી. ) કોઈ ગુજરી જાય ત્યારે રોકકળ કરવાનો રિવાજ ઘણી ' જગ્યાએ છે. એક વખત આવો પ્રસંગ બનતાં રડવા માટે જવામાં મુખ્ય નાની ઉમરની વ્યક્તિઓ હતી. કોઈને વ્યવસ્થિત રડાવતાં આવડે નહિ એટલે એ માટે એક ભાડે વ્યક્તિને રડાવવા માટે જોડે છે લીધી અને એ માટે દોઢસો રૂપિયા આપવાનું નક્કી કર્યું. બધા છે તે વ્યવસ્થિત રીતે રડવા માટે ગયા અને ખૂબ જોરજોરથી રડ્યા-પેલી છે વ્યક્તિ રડાવે તેમ. જેમને ત્યાં શોક હતો એ પણ આશ્ચર્ય પામ્યા છે કે આ બધાને મરનારને માટે કેટલી બધી લાગણી છે! થોડી વાર કે પછી બધા રડીને થાક્યા એટલે પેલી રડાવનાર વ્યક્તિને કાનમાં જ કહ્યું કે બસ, હવે છાના રહો. પેલી વ્યક્તિએ કહ્યું કે રડવાના દોઢસો રૂપિયા નક્કી કર્યા છે, છાના રહેવાના નહિ. છાના રહેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001304
Book TitleJivan Safar
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah, Sureshbhai Rawal
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy