SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે આ વખતે પ્રો થયા છે, દોષનું ઉ. : (૧) હિંસા (૨) જૂઠ (૩) ચોરી (૪) કુશલ (૫) પરિગ્રહ (૬) ક્રોધ (૭) માન (2) માયા (૯) લોભ (૧૦) રાગ (૧૧) ફેષ (૧૨) કલેશ (૧૩) અભ્યાખાન – ખોટું આળ ચઢાવવું (૧૪) પૈશુન્ય-ચાડી, ચુગલી કરવી, (૧૫) પરપરિવાદ-નિંદા કરવી (૧૬) રતિ-અરતિ; હર્ષ-શોક (૧૭) માયા-મૃષાવાદ-કપટ સહિત જૂઠું બોલવું (૧૮) મિથ્યાત્વ-શલ્ય. પ્ર. ૧૦. પ્રતિક્રમણનો અર્થ શો ? ઉં. : પ્રતિક્રમણ એટલે સામું જવું-સ્મરણ કરી જવું, ફરીથી જોઈ જવું. જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવા બેઠા તે વખતની અગાઉ તે દિવસે જે જે દોષ થયા છે તે એક પછી એક જોઈ જવા અને તેનો પશ્ચાત્તાપ કરવો કે દોષનું સ્મરણ કરી જવું એવો સામાન્ય અર્થ છે. પ્ર. ૬૧. સામાયિકની વ્યાખ્યા શું ? ઉ. : સામાયિક શબ્દની વ્યુત્પત્તિ “સમ”, “આય” અને “ઇક' એ શબ્દોથી થાય છે. “સમ' એટલે રાગ-દ્વેષરહિત મધ્યસ્થ પરિણામ, “આય” એટલે તે સમભાવથી ઉત્પન્ન થતો જ્ઞાનદર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગનો લાભ અને “ઇક' કહેતાં “ભાવ” એમ અર્થ થાય છે. એટલે કે જે વડે કરીને મોક્ષના માર્ગનો લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક. આર્ત અને રૌદ્ર બે પ્રકારનાં ધ્યાનનો ત્યાગ કરીને મન, વચન, કાયાના પાપભાવને રોકીને શ્રાવક સામાયિક કરે છે. પ્ર. ૬૨. પચ્ચકખાણ એટલે શું? ઉ. : અમુક ચોક્કસ સમય માટે પાપક્રિયાથી બચવા માટે જે ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001299
Book TitleAdhyatmatattva Prashnottari
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1994
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy