SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ બને છે, તત્ત્વો વધુ સૂક્ષ્મતાથી સમજાય છે. તેથી તીર્થંકર પણ આ ભાવનાઓ ભાવે છે. પ્ર. ૫૪. મિથ્યાત્વ એટલે શું? ઉ. : ઊંધી માન્યતા, સદોષ. દા.ત., શરીરને આત્મા માનવો. પ્ર. પપ. મિથ્યાત્વના ભેદ કેટલા ? કયા કયા ? ઉ. : મિથ્યાત્વના પાંચ ભેદ છે : (૧) વિપરીત (૨) એકાંત (૩) વિનય (૪) સંશય અને (૫) અજ્ઞાન પ્ર. ૫૬. કષાય એટલે શું? તે કયા કયા? ઉ. : જે ભાવો કરવાથી દુઃખી થવાય અને સંસાર વધે તેમને કષાય કહેવાય. તે મુખ્ય ચાર છે : ક્રોધ, માન, માયા અને લોભ. પ્ર. પ૭. નોકષાય એટલે શું? તે કેટલા અને કયા કયા ? ઉ. : કષાય કરતાં સહેજ ઓછા દુઃખદાયી, પણ એક નોકષાય પ્રાથે બીજા કષાય કે નોકષાયને જન્મ આપે છે. તે નવ છે. (૧) હાસ્ય (૨) રતિ (૩) અરતિ (૪) શોક (૫) ભય (૬) જુગુપ્સા (૭) પુરુષવેદ (૮) સ્ત્રીવેદ (૯) નપુંસકવેદ. પ્ર. ૫૮. જીવ કેવી રીતે અને કેટલા પ્રકારે દોષ કરે છે? ઉ. : મનથી, વચનથી, કાયાથી = ૩ સમરંભથી, સમારંભથી, આરંભથી = ૩ કરવાથી, કરાવવાથી, અનુમોદન કરવાથી = ૩ ક્રોધવશ, માનવશ, માયાવશ, લોભવશ = ૪ આમ કુલ ૩ X ૩ X ૩ ૪ ૪ = ૧૮૦ પ્રકારથી દોષ કરે છે. પ્ર. ૫૯. અઢાર પાપ સ્થાનકો કયાં? * ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001299
Book TitleAdhyatmatattva Prashnottari
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1994
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy