SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ 32 n શ્રીમદ્ રાજચંદ્ર D છ મહિના પછી પરણજો શ્રીમદ્ વીરજી દેસાઈ નામના એક ભાઈને કાકા કહેતા. તેઓ બંને એક વખત સાંજે ફરવા ગયા હતા, ત્યારે શ્રીમદે દેસાઈને પૂછ્યું કે, “કાકા, મારાં કાકીને કાંઈ થાય તો તમે બીજી વાર પરણો ખરા ?” દેસાઈએ કાંઈ જવાબ ન આપ્યો. થોડા દિવસ બાદ દેસાઈનાં પત્ની મરણ પામ્યાં. ત્યારપછી સાથે જવાનો ફરીથી પ્રસંગ આવ્યો ત્યારે શ્રીમદે દેસાઈને પૂછ્યું, “કાકા, તમે હવે પરણશો ?” દેસાઈએ જવાબ ન આપતાં માત્ર મોઢું મલકાવ્યું. શ્રીમદે કહ્યું, “કાકા, તમે પરણવાનો વિચાર કરતા હો તો તે છ માસ પછી રાખજો.” છ મહિના થયા. રાંધણછઠનો દિવસ આવ્યો. તે વખતે વીરજી દેસાઈ સાંજે બહારથી ઘેર આવ્યા ત્યારે ખાળમાંથી નીકળેલો સર્પ તેમને કરડ્યો. સર્પનું ઝેર ઉતારવા ઘણી મહેનત કરી, પણ ઝે૨ ઊતર્યું નહીં, ત્યારે દેસાઈએ કહ્યું, “નવા ઉપચાર કરી મારો ચોવિહાર ભંગાવશો નહીં. મને તો કહેનારે એ વાત કહી દીધી છે.” * પ્રામાણિકતા એક વખત શ્રી ત્રિભુવનદાસ ભાણજી અને શ્રીમદ્ મુંબઈમાં હાઈકોર્ટ પાસેના બૅન્ડસ્ટૅન્ડ તરફ ફરવા ગયા હતા ત્યારે ત્રિભુવનભાઈએ એમને પ્રશ્ન કર્યો હતો કે, “એક જૈન તરીકે પ્રામાણિકપણું કેવું હોવું જોઈએ ?” Jain Education International એના ઉત્ત૨માં શ્રીમદે હાઈકોર્ટનો બુરજ દેખાડી તેમને કહ્યું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001298
Book TitleRajchandrani Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy