SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રીમદ્ રાજચંદ્ર L. 27 બોધને ધારણ કરીને અધ્યાત્મવિકાસ સાધ્યો. શ્રીમદે તેમને સંબોધીને લખેલાં વિશેષણો પરથી તેમની ઉચ્ચ અંતરંગ દશાનો આપણને ખ્યાલ આવી શકે છે. ત્રેવીસ વર્ષની યુવાન વયે વિ.સં. ૧૯૪૬માં તેઓએ સ્વર્ગવાસ કર્યો. (૫) શ્રીમદ્ અને મનસુખભાઈ મોરબીના રહીશ શ્રી મનસુખભાઈ કીરતચંદ મહેતાએ શ્રીમને થોડા કાળના પરિચયમાં જ્ઞાની તરીકે ઓળખી લીધા હતા, અને શ્રીમદ્ પ્રત્યે તેમને અનન્ય ભક્તિ ઉત્પન્ન થઈ હતી. શ્રીમદ્ભા બોધથી તેઓની સદાચારમાં દૃઢપણે સ્થિરતા થઈ હતી. વિશાળ શાસ્ત્ર-અધ્યયન, વિદ્વત્તા, સાહિત્યનિપુણતા અને ભક્તિના સમન્વયથી તેમણે શ્રીમદુના હૃદયમાં પણ સારું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. શ્રીમદ્ તેમને જે કામ આપતા તે તેઓ ખૂબ ચીવટથી કરતા અને “શાંત સુધારસ” ગ્રંથનો અનુવાદ તેમણે શ્રીમદ્ભી આજ્ઞાથી જ કર્યો હતો. તેઓએ લખેલો “શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા” નામનો ગ્રંથ પ્રકાશિત થયેલ છે. તેમના સુપુત્ર ડૉ. ભગવાનદાસભાઈએ “પ્રજ્ઞાવબોધમોક્ષમાળા” અને “અધ્યાત્મ રાજચંદ્ર' નામના ગ્રંથો ભક્તિભાવથી લખેલ છે. (૭) શ્રીમદ્દ અને ગાંધીજી ગાંધીજીએ પોતાના માર્ગદર્શક તરીકે માનેલા ત્રણ પુરુષોમાં, આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે શ્રીમદ્ રાજચંદ્ર (કવિ રાયચંદભાઈ) અગ્રગણ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001298
Book TitleRajchandrani Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy