SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 26 1 શ્રીમદ્ રાજચંદ્ર | ક્ષયોપશમથી અને વૈરાગ્યથી આત્મકલ્યાણની ઉચ્ચ શ્રેણી પ્રાપ્ત કરી. વારંવાર તેઓની નિશ્રામાં અનેક મુમુક્ષુઓ શ્રીમને બોલાવતા અને સૌ શ્રીમદ્ભા અપૂર્વ બોધનો લાભ મેળવતા. તેમની તીવ્ર સ્મરણશક્તિને લીધે શ્રીમદ્ તેમને શાસ્ત્રના કે પત્રોના ઉતારા કરવા માટે આપતા. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચના નડિયાદ મુકામે વિ. સં. ૧૯પરના આસો વદ એકમની સાંજે થઈ, ત્યારે શ્રીમદ્રની પાસે ફાનસ લઈ ઊભા રહેનાર શ્રી અંબાલાલભાઈ જ હતા. આત્મસિદ્ધિના જે અર્થ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં છપાયા છે તેનું લેખન પણ શ્રી અંબાલાલભાઈએ જ કર્યું હતું. અને પાછળથી તે શ્રીમની દૃષ્ટિ નીચેથી પણ પસાર થયું હતું. શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં લગભગ ૧૨૭ જેટલા પત્રો શ્રી અંબાલાલભાઈ ઉપર લખાયેલા છે જે તેમની શ્રીમ સાથેની ઘનિષ્ઠતા સૂચવે છે. શ્રીમના દેહાવસાન પછી તેમનું સાહિત્ય એકત્રિત કરવામાં અને વ્યવસ્થિત કરવામાં તેઓનો અનન્ય સહયોગ શ્રી મનસુખભાઈને (શ્રીમન્ના નાના ભાઈ) પ્રાપ્ત થયો હતો. વિ. સં. ૧૯૬૧માં એક મુમુક્ષુની સેવા કરતાં તેમને પ્લેગનો રોગ લાગુ પડ્યો અને તેઓનો દેહોત્સર્ગ થયો. (૪) શ્રીમદ્ અને શ્રી જૂઠાભાઈ શ્રીમના અલ્પકાળના સાનિધ્યથી પોતાનું આત્મકલ્યાણ નાની ઉંમરમાં કરનાર આ એક મહાન જિજ્ઞાસુ આત્મા હતા. વિ. સં. ૧૯૪૪માં જ્યારે શ્રીમદ્ મોક્ષમાળા છપાવવા અમદાવાદ આવ્યા ત્યારે શ્રી જેસિંગભાઈના નાના ભાઈ તરીકે તેઓ શ્રીમદ્ભા પરિચયમાં આવ્યા અને પૂર્વસંસ્કારની બળવત્તરતા અને જ્ઞાનીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001298
Book TitleRajchandrani Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy