SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ n શ્રીમદ્ રાજચંદ્ર d સોળ વર્ષની ઉંમરે મોરબીમાં શ્રી શંકરલાલ ભટ્ટના અવધાનના પ્રયોગો શ્રીમદે પ્રથમ વખત નિહાળ્યા. પોતાની અદ્ભુત સ્મરણશક્તિ વડે તેમણે તે કરવાની વિધિ બરાબર જાણી લીધી અને બે દિવસ પછી બે હજાર માણસોની હાજરીમાં તેઓએ મોરબીમાં જ બાર અવધાનનો પ્રયોગ બતાવ્યો; જેથી કવિ, વિદ્વાન અને સાહિત્યકાર તરીકેની પ્રતિષ્ઠા ઉપરાંત અદ્ભુત સ્મરણશક્તિ માટે પણ તેઓ વિખ્યાત થયા. આ પછી અનુક્રમે જામનગરમાં સોળ અને બોટાદમાં બાવન અવધાન તેઓએ કરી બતાવ્યા હતા. બોટાદના આ અવધાનોની શક્તિની ગણતરી કરી કોઈ વિદ્વાને કહ્યું હતું કે આ પુરુષ એક કલાકમાં ૧૦૦થી પણ અધિક શ્લોકો સહેલાઈથી કંઠસ્થ કરી શકે. 11 શતાવધાન : ઓગણીસ વર્ષની વયે, તા. ૨૨-૧-૧૮૮૭ના રોજ સાંજના, મુંબઈની ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટમાં તેઓએ જાહેરસભામાં શતાવધાનનો પ્રયોગ કરી બતાવ્યો હતો. આ સભાનું પ્રમુખસ્થાન ડૉ. પીટર્સને સંભાળ્યું હતું, જેમાં સમાજના અનેકવિધ અગ્રગણ્ય બુદ્ધિજીવીઓ, વેપારીઓ, વિદ્વાનો, જ્યોતિષીઓ વગેરે બસ્સોથી પણ વધુ સંખ્યામાં હાજર હતા; અને સૌ કોઈએ એક અવાજે આ સ્મરણશક્તિની અદ્ભુત સિદ્ધિની પ્રશંસા કરી હતી. આ પ્રયોગો પછી મુંબઈની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સર ચાર્લ્સ સાર્જન્ટ તરફથી તેમને યુરોપના દેશોમાં આવવા આમંત્રણ મળ્યું હતું પણ શ્રીમદે તે સ્વીકાર્યું ન હતું. ૨. જ્યોતિષજ્ઞાન અવધાનમાં સફળતા પ્રાપ્ત કરીને થોડા કાળ માટે શ્રીમદે જ્યોતિષશાસ્ત્ર તરફ પણ શોખ વ્યક્ત કર્યો હતો. જોકે નાનપણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001298
Book TitleRajchandrani Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy