SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૧ : દૈનિક - ભક્તિક્રમ 0 (૯૬) ચાર દિવસના ચાંદરાણા પર ચાર દિવસનાં ચાંદરણા પર, જૂઠી મમતા શા માટે ? જે ના આવે સંગાથે, એની માયા શા માટે? આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહીઓ સાથે ના આવે, તું ખૂબ મથ્યો જેને મેળવવા, આ યૌવન સાથે ના આવે... અહીંનું છે તે અહીં રહેવાનું, તેની માયા શા માટે ચાર-૧ તે બાંધેલી હેલાતોને, એ દોલતનું ત્યારે શું થાશે? જાવું પડશે અણધાર્યું, પરિવારનું ત્યારે શું થાશે ? સૌનું ભાવિ સૌની સાથે, તેની ચિંતા શા માટે ? ચાર-૨ સુંવાળી દોરીના બંધન આજે, સહુ પ્રેમ થકી બાંધે. તૂટે તંતુ આયુષનું એમાં કોઈ ત્યારે ના સાંધે ભીડ પડે ત્યારે તડતડ તૂટે એવા બંધન શા માટે... ચાર-૩ | (@) અવગુણ કોઈના જોશો નહી અવગુણ કોઈના જોશો નહી, અંતર મેલું કરશો નહી અંતર મેલ કરશો તો, વીર પ્રભુને ગમશો નહી..અવગુણ ૧ હો..મધમાખી જેવા થઈને, સંગ સુમનનો તજશો નહી - અવિનય કુંજમાં વસશો નહી મેલી માખી જેવા થઈને, મેલ ઉપર બણબણશો નહી અવળે રસ્તે જાશો નહી...અવગુણ ૨ હો.પરના દોષો જોવા જાતા, નીજના દોષો જડશે નહી ઘરની ગંદકી ઘટશે નહી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy