________________
૩૦૨
દૈનિક - ભક્તિમ નિર્ભય બનીને જાનમાલની, પરવા કદીએ નવ કરીએ, આપમાલિકીની વસ્તુનો મૂઢ, સ્વાર્થ પણ પરિહરીએ... ૪ બ્રહ્મચર્યની જ્યોત જગાવી, સત્ય પ્રભુને મંદિરીએ, જગસેવાને આંચ ન આવે, એ વ્યવસાયો આચરીએ.. ૫ સગુણ સ્તુતિ કરીએ સહુની, નિંદાથી ન્યારા રહીએ, વ્યસનો તજીએ સગુણ સજીએ, ટાપટીપ ખોટી તજીએ. ૬, ખાવું, પીવું, હરવું, ફરવું, સૂવું, જાગવું ને વેદવું, સર્વ ક્રિયાઓ કરતાં પહેલાં, પાપ-વિકારોથી ડરવું. . . . ૭ છતાં થાય ગફલત જે કંઈ તે, ક્ષમા માગી હળવા થઈએ. સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ, આત્મભાન નવ વીસરાએ. ૮
(૩ર) વિનતિ મારી
(રાગ - પ્રભાત) વિનતિ માહરી, આજ પ્રભાતની, નાથ અંતરમહીં આપ ધરજો, આજની જિંદગી, રાત સૂતાં લગી,
- ચિત્તડે ચરણની પ્રીત ભરજો. (ધ્રુવ) રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં,
જળ અને કમળની જેમ રાખો, પાળું મુજ ધર્મને, કરું સૌ કર્મને,
ફળ તણી આશથી દૂર રાખો.વિનતિ ૧ સુખી રહું સુખમાં, સુખી રહું દુઃખમાં,
સુખ અને દુઃખના ભેદ ટાળો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org