SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ ૧૫૩ ( ૫૩. પ્રભુનું નામ રસાયણ સેવે છે (રાગ : લાવણી) પ્રભુનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પળાય નહિ; તો તેનું ફળ લેશ ન પામે, ભવ રોગો કદી જાય નહિ. ટેક પહેલું પથ્ય અસત્ય ન વધવું, નિંદા કોઈની થાય નહિ; નિજ વખાણ કરવાં નહિ સુણવાં, વ્યસન કશુંય કરાય નહિ. ૧ જીવ સકલ આતમ સમ જાણી, દિલ કોઈનું દૂભવાય નહિ; પરધન પથ્થરસમાન ગણીને, મન અભિલાષ ધરાય નહિ. ર દંભ દર્પ કે દુર્જનતાથી, અંતર અભડાવાય નહિ; પરનારી માતા સમ લેખી, કદી કુષ્ટિ કરાય નહિ. .. ૩ હું પ્રભુનો, પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહિ; જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહિ. ૪ શક્તિ છતાં પરમારથ સ્થળથી, પાછાં પગલાં ભરાય નહિ; સ્વાર્થ તણા પણ કામ વિષે, કદી અધર્મને અચરાય નહિ. ૫ કર્યું કરું છું ભજન આટલું, જ્યાં ત્યાં વાત કરાય નહિ; હું મોટો મુજને સહુ પૂજે, એ અભિમાન ધરાય નહિ. ૬ નામતણા અતુલિત મહિમાને, વ્યર્થ વખાણ મનાય નહિ; કપટ દગા છળ પ્રપંચ માયા, અંત સુધી અદરાય નહિ. ૭ જનસેવા તે પ્રભુની સેવા, એહ સમજ વિસરાય નહિ; ઊંચ નીચનો ભેદ પ્રભુના મારગડામાં થાય નહિ. ... ૮ નામ રસાયણ સેવે સમજી, કષ્ટ થકી કદી કાય નહિ; Jain cએ પથ્થોનું પાલન કરતાં મરતાં સુધી ડગાય નહિ. હા,
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy