SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ઉતારી સમાજ પર નાંખી દે એ તે કેવું? ઘડીભર ગુસ્સો પણ આવી ગયો પણ અંતે અંદર રહેલો સંસ્કાર પોકારી ઉઠ્યો. પત્નીને કહ્યું, ‘જા કંઈક ખવડાવી આવ. આ છે આપણા જન્મજાત ભારતીય સંસ્કાર. ભારતીય સંસ્કાર કે સંસ્કૃતિ કદી કોઈનું ય ખરાબ કરી શકે જ નહીં. એનામાં જેટલી સહિષ્ણુતા, સમભાવ છે તેવી સહિષ્ણુતા, પ્રેમ કે સમભાવ બીજે ક્યાંય નહીં મળે, ગાંધીજીની સત્ય-અહિંસાની ભાવના કે સંત વિનોબાજીનો વિશ્વ-પ્રેમ તેમજ ભૂ-દાનની ચળવળની પાછળ આ સંસ્કાર જ રહેલા છે. આ સંસ્કાર જ ‘આત્મ સુખ' આપે છે. પં. દિનદયાળજી આત્મચિંતનના સંદર્ભે કહે છે ‘હું શરીર, મન અને બુદ્ધિ નથી બલ્કે આ બધાથી પર રહેનાર આત્મા જ મારું વાસ્તવિક સ્વરૂપ છે' - આ અનુભૂતિ દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત થાય અને એ જ સાચું સુખ છે. ‘આત્મજ્ઞાન' એ વૈયક્તિક અનુભૂતિ હોવા છતાં અહમાંથી વયમ્ તરફ, સમષ્ટિ તરફ આગળ વધવું એ વ્યાપક વિકાસ પ્રક્રિયા છે. વ્યક્તિમાં પરમાત્માનું દર્શન કરવું. વ્યક્તિ દ્વારા, એના પુરુષાર્થથી વિકસેલ સમાજમાં પરમાત્માનું દર્શન કરવું, એની સેવા - સર્વાંગીણ ઉન્નત્તિમાં પરમાત્માની પૂજાનું દર્શન કરવું એ આધ્યાત્મિક ઉન્નતિ છે. જડથી ચેતન તરફની યાત્રા છે. સમષ્ટિ · સમાજનું સૌથી મોટું એકમ છે ‘રાષ્ટ્ર'. કોઈ પણ રાષ્ટ્ર માટે ચાર વસ્તુ આવશ્યક છે. પ્રથમ અનિવાર્ય આવશ્યકતા છે દેશ. ભૂમિ અને ત્યાં વસતા લોકોને ભૂમિ સાથે જોડવાથી બને છે દેશ. વસતા લોકો એ ભૂમિને ‘મા'ની જેમ પૂજ્ય ગણતા હોય, ભૂ-ભાગમાં આવેલ પ્રાકૃતિક નદી, પર્વત, જમીનને પવિત્ર ગણી પૂજતા હોય, કણ કણમાં ભગવાન, કંકર - રજતજયંતી વર્ષ : ૨૫ Jain Education International કંકરમાં શંકરને નિહાળતાં હોય તેવા ભૂ-ભાગને દેશ કહેવાય છે. એને આપણે માતૃભૂમિ ગણીએ છીએ. આપણો એ રીતે ‘ભારત' દેશ છે. કાશ્મીરથી કન્યાકુમારી, કચ્છથી કોહીમા સુધીના ભૂભાગને આપણે ભારત-દેશ. ગણીએ છીએ; જેને આપણે ભારતમાતા તરીકે ઓળખીએ છીએ. આ ભૂ-ભાગમાં વસતા બધા લોકોની સામૂહિક જીવનની ઇચ્છાશક્તિ એ બીજી જરૂરિયાત અને ત્રીજી જરૂરિયાત સામુહિક રીતે જીવવા માટે નિયમ કે આંતરિક જીવન-ધર્મ. બીજા શબ્દોમાં જીવન આદર્શ' એ ચોથી જરૂરિયાત. આ ચારે ય જરૂરિયાતના સમુચ્ચયથી બને છે ‘રાષ્ટ્ર.' આમ ‘રાષ્ટ્ર'ની એક ‘ચિતિ' હોય છે. હજારો વર્ષોના મંથન-ચ્યવન પછી જે રાષ્ટ્રનો પ્રાણ કહી શકીએ, જેને આપણા ઋષિ-મુનિઓએ જીવન-આદર્શો આચરણ દ્વારા સ્થાપ્યા એને સમજવા કોશીશ કરીએ તો આપણે જે સાંપ્રત સમસ્યાઓમાં અટવાયા છીએ એમાંથી બહાર નીકળી શકીએ. • વિવિધતામાં એકતા' એ ભારતની વિશિષ્ટતા છે. ભાષા, પ્રાંત, પહેરવેશ, ખાનપાન આ બધાથી ઉપર ઉઠીને ‘એકતા', અપનત્વનો અનુભવ કરવો, આ દેશના માનબિંદુઓ, પછી એ નદીઓ હોય, તળાવો હોય, તીર્થસ્થાનો હોય, બધામાં પૂજ્યભાવ જોવો, અહીંની પરંપરાનો, અહીંના વિજિગિપુ - ઇતિહાસનો આદર કરવો, અહીંના સંતો, મહંતો, ભક્તો, મહાન પુરુષોના ચરિત્રમાં પોતાને જોવાનો પ્રયત્ન કરવો એ રાષ્ટ્રીયતાની નિશાની છે. એનાથી વિરુદ્ધ કોઈપણ પ્રકારનું આચરણ અરાષ્ટ્રીય છે. આ દેશના હવાપાણી-પ્રકૃતિમાંથી લાલન પાલન કરવું અને વફાદારી બીજે બતાવવી અથવા લગાવ બીજે રાખવો એ એક પ્રકારનો દેશદ્રોહ જ છે. આજના For Private & Personal Use Only તીર્થ-સૌરભ ૧૧૩ www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy