SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર્ય-સુવાસ નામ પ્રખ્યાત છે. તેઓએ પોતે અનેક ગ્રંથો રચ્યા હતા. એક વખત તેઓ મહર્ષિ અરવિંદને મળવા ગયા. શ્રી અરવિંદ પાસે તેમણે માગણી કરી કે, તેઓ પાસે પોતાના લખેલા કોઈ ગ્રંથ હોય તો તેની પ્રત બતાવે. શ્રી અરવિંદ પાસેથી તેમણે રામાયણ અને મહાભારતના અનુવાદની પ્રતો મેળવી. આ અનુવાદો તેમને એટલા બધા ગમ્યા કે તુરત તેમણે શ્રી અરવિંદ પાસે જઈને કહ્યું કે આ અનુવાદો તો અવશ્ય છપાવવા જોઈએ. મેં પણ રામાયણ-મહાભારતના અનુવાદ (બંગાળીમાં) કર્યા છે પણ આપના અનુવાદ જોયા પછી મને મારી કૃતિઓ જોઈને શરમ આવે છે. શ્રી અરવિંદ કહે, મહાનુભાવ ! આ અનુવાદ મેં કાંઈ છપાવવા માટે તૈયાર નથી કર્યા, મારી સ્વાધ્યાય-સાધનાના અંગરૂપે કર્યા છે. વળી આવી અનેક કૃતિઓ છે અને મારા જીવનકાળ દરમ્યાન તે બધી પ્રસિદ્ધ પણ થઈ શકવાની નથી. તેમ કરવાની મારી ખાસ ઇચ્છા પણ નથી.' શ્રી અરવિંદની વાત સાંભળી, કીર્તિ પ્રત્યેની તેમની ઉદાસીનતા જોઈ સર રમેશચંદ્ર દત્ત આશ્ચર્યસહિત નમી પડ્યા. ૬૭ ૩ સ્વાદનો ત્યાગ મહારાજા યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ આરંભ્યો ત્યારે શ્રીકૃષ્ણને તેમણે પૂછ્યું કે મારો યજ્ઞ પૂરો થયો છે એમ હું ક્યારે સમજું ? શ્રીકૃષ્ણે જવાબ આપ્યો : ‘આ પાંચજન્ય નામનો મારો શંખ સ્વયં વાગે ત્યારે યજ્ઞ પૂરો થયો જાણવો.' યજ્ઞ પૂરો થયો છતાં શંખ ન વાગ્યો ત્યારે યુધિષ્ઠિરે પૂછ્યું કે ‘શંખ કેમ ન વાગ્યો ?' શ્રીકૃષ્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001294
Book TitleCharitrya Suvas
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy