SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર્ય-સુવાસ બોલ્યા : ‘નગરમાં જુઓ, કોઈ ભક્ત ભૂખ્યો હશે.' નગરમાં તપાસ કરતાં એક ભંગી આત્મારામ પોતાને ઘેર બેઠો હતો. તે યુધિષ્ઠિરને ત્યાં આવ્યો ન હતો. જેણે ચૌદ ભુવનના નાથનું શરણ લીધું છે, તેવા તે ભંગીને જમવા આવવાની પડી ન હતી. યુધિષ્ઠિરે આદર સાથે તે ભંગીને બોલાવ્યો. દ્રૌપદીએ જાતે બનાવેલી રસોઈ તેને પીરસવામાં આવી. ભંગીએ એક એક કોળિયા અલગ કરી ઈશ્વરને અર્પણ કર્યા અને પછી બધું ભેગું કરીને તે ખાઈ ગયો ! આ જોઈ દ્રૌપદીને ગ્લાનિ થઈ. તેણે મનોમન વિચાર્યું : ‘આખરે તો ભંગી ને ! તે રસોઈના સ્વાદને શું જાણે ?' આથી શંખ થોડો વાગી બંધ થઈ ગયો. ત્યારે પુનઃ પૂછવામાં આવતાં શ્રીકૃષ્ણે કહ્યું : ‘તમે ભક્તને સત્કારથી નથી જમાડ્યો. તમારા મનમાં ભક્ત તરફ ઘૃણાની ભાવના પેદા થઈ હતી એટલે પરિણામ પણ તેવું જ આવ્યું છે.’ નિખાલસ હૃદયનાં દ્રૌપદી ભંગી પાસે ગયાં, તેમની માફી માગી અને ભેગું કરી જમવાનું કારણ પૂછ્યું ત્યારે આત્મારામ સંતે કહ્યું, ‘અન્ન છે તે શરીરને પોષવા માટે છે, ઇન્દ્રિયો ઉન્મત્ત બનાવવા માટે નથી. સ્વાદથી જમવાને લીધે જિહ્નાસ્વાદ વધે છે. બધી ઇન્દ્રિયોમાં રસનેન્દ્રિય ખતરનાક છે. સ્વાદના ચટકા ધ્યાન અને ભક્તિમાં રુકાવટ કરનાર હોવાથી મેં તેને ત્યાગ્યા છે.' આ વચનો સાંભળી દ્રૌપદી પ્રસન્ન થઈ તેને વંદન કરવા લાગી. ત્યાર બાદ કાળ ચિહ્નરૂપે પાંચજન્ય શંખ વાગી રહ્યો ! ૬૮ S ગામઠી નિશાળમાં શિક્ષકે વિદ્યાર્થીઓને ઘરકામ પેટે થોડા દાખલાઓ આપ્યા અને બીજે દિવસે તે ગણી લાવવા કહ્યું. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001294
Book TitleCharitrya Suvas
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy