SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬. ચારિત્ર્ય-સુવાસ હતા. એક વખત તેઓ લાહોરમાં એક ધર્મશાળામાં ઊતર્યા હતા. વહેલી સવારે ઊઠી તેઓ ભજનમાં બેઠા ત્યારે પોતાની જાત ઉપર તેમને ધિક્કારની લાગણી ઉદ્ભવી. તેઓ વિચારવા લાગ્યા કે હું સૌને સત્યનો અને સત્કર્મનો ઉપદેશ આપું છું પણ હું પોતે ક્યાં તેનું પાલન કરું છું ? શું આમ ને આમ જ મારું જીવન નિષ્ફળપણે વ્યતીત થશે ? શું મારું જીવન વિશુદ્ધ અને સાત્ત્વિક નહીં બને ? આવા અનેક વિચારોમાં અટવાઈ જતાં તેમણે પાસે જ વહેતી રાવી નદીમાં ઝંપલાવી જીવનનો અંત લાવવાની તૈયારી કરી. નદીથી થોડે જ દૂર હતા, અને અવાજ આવ્યો. “થોભી જાઓ, શું કરવા જઈ રહ્યા છો ? આત્મહત્યા શું મોટું પાપ નથી ? શરીરત્યાગથી પાપત્યાગ સિદ્ધ થઈ શકશે ? સૂફમદૃષ્ટિથી સાધનામાર્ગનું ફરીથી અવલોકન કરી સત્સંગનો આશ્રય કરો. ખેદ નહીં કરતાં પ્રભુકૃપા પર વિશ્વાસ રાખી ધીરજને ધારણ કરો. વહેલી-મોડી સફળતા નક્કી જ છે.” આવા નિર્જન સ્થાનમાં અપરિચિત અવાજ સાંભળી પાછળ જોયું, ત્યાં કોઈ મહાત્માએ તેમનો હાથ પકડ્યો અને તેમને ધર્મશાળામાં પાછા લઈ ગયા. આ જ મહાત્મા પછી થોડા સમયમાં સાધનાના ઉચ્ચતર શિખર ઉપર બિરાજમાન થયા અને ઢાકા મુકામે સાધના આશ્રમ સ્થાપી અનેકના માર્ગદર્શક બન્યા. ૬ ૨ ફોલ્યા ભારતના અર્વાચીન ઇતિહાસકારોમાં સર રમેશચંદ્ર દત્તનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001294
Book TitleCharitrya Suvas
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy