SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ – આલોચનાદિ uધ સંવાદ ૮૧ બિંદુ જેવું છે. જેનાથી એ બોધન જ ના જ આગળના દોહરામાં ગ્રંથકારે જિનાજ્ઞાનુસાર સાધકે પોતાના જીવનવ્યવહારને બનાવવાની વાત કરી હતી. હવે આ દોહરામાં જિનાજ્ઞાને જાણવા માટે ધર્મશાસ્ત્રોનો અભ્યાસ વગેરે સતત કરવો પરમ આવશ્યક છે તેમ જણાવી તેની વિધિનો અહીં નિર્દેશ કર્યો છે. આ દોહરાના પહેલા ચરણ પ્રમાણે સાધકે ભાવના કરવાની છે કે પરમાર્થ સાધના સિવાય એક ક્ષણ પણ પ્રમાદવશ નકામો હું ગાળીશ નહીં. “ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળા પ્રમાદનાં લક્ષણ છે. ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, હે ગૌતમ! મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી, તેમ મનુષ્યાય જતાં વાર લાગતી નથી. એ બોધના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. “સમયે પોયમ ની પમા” – એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તો હે ગૌતમ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો અને બીજો એ કે મેષાનમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો. કારણ દેહ ક્ષણભંગુર છે; કાળશિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઊભો છે. લીધો કે લેશે એમ જંજાળ થઈ રહી છે; ત્યાં પ્રમાદથી ધર્મકર્તવ્ય કરવું રહી જશે.”(વ. પૃ. ૯૪). - પછીના ચરણોમાં સાધકે શુદ્ધ આત્મસ્વરૂપ પામવા માટે શું આતમ કામ-સાધના કરવાની છે તેની વિગત જણાવી છે. ૧) ભણનો એટલે પુસ્તકના માધ્યમથી ગુરુગમપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવો જોઈએ. ૨) ગુણનો એટલે શાસ્ત્રના અર્થ અને તત્ત્વને જે સમજ્યા હોઈએ તેનું મનન અને ચિંતવન કરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy