SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ - આલોચનાદિ uધ સંગ્રહ ૭૭ અને ભાવથી મુનિદીક્ષા અંગીકાર કરી તે વીતરાગ પ્રભુની આજ્ઞાનુસાર સકળ સંયમ પામવાનો સંકલ્પ કરું છું. ત્રીજા મનોરથમાં સાધક એમ ચિંતવે છે કે, હે જિનેશ્વર પ્રભુ! હું ચારેય પ્રકારના આહાર એટલે કે ખાદ્ય, સ્વાદ્ય, લેહ્ય અને પેયનો ત્યાગ કરી, અઢારેય પાપસ્થાનકોનો ત્યાગ કરી, ભૂતકાળની ભૂલોનું પ્રતિક્રમણ કરી, વર્તમાનમાં થતાં દોષોની આલોચના કરી, નિઃશલ્ય થઈ, સર્વ જીવોને ખમાવી, અતિ પ્રેમપૂર્વક પાલન પોષણ કરેલા આ મારા દેહના મમત્ત્વનો પરિત્યાગ કરી એટલે કે સંથારા વ્રતને ગ્રહણ કરી, જ્ઞાયકનું શરણ લઈ, સમાધિમરણ કરવાનો હું સંકલ્પ એવું છું. આમ સાધક યથાશક્તિ એટલે કે પોતાની શક્તિ અનુસાર આવો પ્રામાણિક પારમાર્થિક પુરુષાર્થ કરવાનો સંકલ્પ કરે છે. જેથી ક્રમ કરીને અંતે મોક્ષસુખરૂપી લક્ષ્મીને તે પ્રાપ્ત કરી શકે. ૨૨. જૈન ધર્મનો સાર -- અરિહા દેવ, નિગ્રંથ ગુરુ, સંવર નિર્ભર ધર્મ; આગમ શ્રી કેવલી કથિત, એહિ જેન મત મર્મ. ૨૨. અહીં જૈન ધર્મના મર્મને નીચે જણાવ્યા પ્રમાણે બતાવ્યો છે. ૧) “અરિહા દેવ” કહેતાં અહીં તીર્થકર દેવ, કે જેમની દિવ્યતાસભર ૐકાર ધ્વનિ ચોથા આરામાં આપણા આ ભરતક્ષેત્રમાં ખરતી હતી અને મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે પણ ખરી રહી છે. તેનાથી પ્રણિત થતો ધર્મનો મર્મ; ૨)નિગ્રંથ ગુરુ' કહેતાં, મુખ્યત્વે મુનિધર્મ પાળતા નિગ્રંથ આત્મજ્ઞાની ગુરુદેવ, જેમનું વર્ણન પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિશાસ્ત્રની દશમી ગાથામાં બતાવ્યું છે: આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy