SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ ઉપયોગ પરદ્રવ્યમાં કે પરભાવોમાં જોડાય નહીં તેનું સતત ધ્યાન રાખે છે. બાહ્યમાં તેના સાધનભૂત તપશ્ચર્યાદિ ક્રિયામાં પ્રવર્તે છે અને ૨૮ મૂળ ગુણ પાળે છે, જેવા કે, (૧) પાંચ અહિંસાદિ મહાવ્રત, (૨) પાંચ સમિતિ, (૩) પાંચ ઈન્દ્રિય નિરોધ,(૪) છ સામાયિકાદિ આવશ્યક અને (૫) સાત કેશલોચ આદિ અન્ય ગુણ (આ દિંગંબર સંપ્રદાયના મુનિનું વર્ણન છે.) આ ત્રણેય પ્રકારના ભાવલિંગી સાધુ ભગવંતો છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાનમાં નિરંતર ઝૂલતા હોય છે. તે નિશ્ચય રત્નત્રયના ધારક શુદ્ધોપયોગી મુનિધર્મ પાળે છે. આ પ્રમાણે શ્રી પંચપરમેષ્ઠિમાં અરિહંત અને સિદ્ધ ભગવંતોનું સ્મરણ કરીને આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ ભગવંતોના ચરણકમળમાં મસ્તક નમાવીને અત્યંત શુભ ભાવથી સાધક આલોચના કરતાં તે સર્વને વંદન કરે છે. ૩. શાસન-નાયક વંદના:-- * શાસન નાયક સમરિયે, ભગવંત વીર નિંદ; અલિય વિઘન દૂર હરે, આપે પરમાનંદ. ૩. વર્તમાન ચોવીસીના છેલ્લા તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીનું ધર્મતીર્થ આ ભરતક્ષેત્રમાં અત્યારે પ્રવર્તે છે. તેમનું શાસન તેમના નિર્વાણ પછી ર૧૦૦૦ વર્ષ સુધી એટલે કે આ અવસર્પિણી કાળના પાંચમા આરાની પૂર્ણતા સુધી પ્રવર્તશે, એમ શાસ્ત્રકારોનું મંતવ્ય છે. હાલમાં તે શાસનના ૨૫૨૭ વર્ષ પુરા થયા છે. અજ્ઞાની જીવોને તેમની પારમાર્થિક પુરુષાર્થની નબળાઈને લીધે અને ઉતરતો કાળ હોવાથી, તેના પ્રભાવને લીધે, તેમને બાહ્યાંતર અનેક અનિષ્ટ સંયોગો તથા વિપ્નો જીવનમાં સહન કરવો પડે છે એવું પ્રત્યક્ષ દેખાય છે. આ વિપત્તિઓને દૂર કરવા અર્થે શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીનું ભક્તિભાવપૂર્વક સ્મરણ કરવાથી સર્વ વિઘ્નો દૂર થાય છે અને સર્વ પ્રકારનાં ઈષ્ટ સંયોગોનો ઉદય થાય છે. પછી જીવના વિશેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy