SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ બૃહદ્ આલોચનાદિ વધે સંગ્રહ Jain Education International - હું માંગુ છું પ્રભુ ! મુજ અપરાધની માફી; કરી દીઓ પાપથી મુક્ત, કહું પછી કાંહી. એ અભિલાષા અવિનાશી, પૂરણ કરજો; મુજ દોષ દયાનિધિ, દેવ, દિલે નવિ ધરજો. હું પાપનો પશ્ચાતાપ હવે કરું છું; વળી સૂક્ષ્મ વિચારથી, સદા ઊંડો ઊતરું છું. તુમ તત્ત્વ ચમત્કૃતિ, નજરે તૂર્ત તરે છે; એ મુજ સ્વરૂપનો, વિકાસ નાથ કરે છે. છો આપ નીરાગી, અનંત ને અવિકારી; વળી સ્વરૂપ સત્ ચિદાનંદ ગણું સુખકારી, છો સહજાનંદી અનંતદર્શી જ્ઞાની; ત્રૈલોક્ય પ્રકાશક, નાથ! શું આપું નિશાની ? મુજ હિત અર્થે દઉં, સાક્ષી માત્ર તમારી; હું ક્ષમા ચાહું, મતિ સદા આપજો સારી. તુમ પ્રણીત તત્ત્વમાં, શંકાશીલ ન થાઉં; જે આપ બતાવો, માર્ગ ત્યાં જ હું જાઉં. મુજ આકાંક્ષા ને, વૃત્તિ એવી નિત્ય થાજો; લઈ શકું જેથી હું, મહદ્ મુક્તિનો લાવો. હે સર્વજ્ઞ પ્રભુ! શું વિશેષ કહું હું તમને; નથી લેશ અજાણ્યું, આપથી નિશ્ચય મુજને હું કેવળ પશ્ચાતાપથી દિલ દહું છું; મુજ કર્મજન્ય પાપની ક્ષમા ચાહું છું . ૐ શાંતિ શાંતિ, કરો કૃપાળુ શાંતિ; ગુરુ રાજચંદ્ર જિન વચન, હરો મમ ભ્રાંતિ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy