SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ ૧૮૧ શબ્દાર્થ: (૧) છ આવશ્યક = પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, સામાયિક, સ્તવન, વંદના અને કાયોત્સર્ગ (૨) અતિક્રમ = વ્રતના ઉલ્લંઘન કરવાનો વિચાર આવવો (૩) વ્યતિક્રમ = વ્રતના ઉલ્લંઘન માટેના સાધનોમાં પ્રવૃત્ત થવું, એટલે કે સદાચારનો ભંગ કરવો. (૪) અતિચાર = વ્રત ભંગ કરવાની પૂરી તૈયારી કરી લેવી અને વિષયસુખમાં મહાલવાનું શરૂ કરવું (૫) અનાચાર = વ્રતોનો ભંગ કરી દેવો – વિષય સુખમાં અતિશય આસક્ત થઈને રાચવું. - નોંધ : અતિચારાદિની સંખ્યા ઘણી હોવાને કારણે તેની વિગત અહીં આપી નથી, તે માટે “સ્થાનકવાસી થોક સંગ્રહ જોઈ લેવા વિનંતિ છે. પ્રતિક્રમણાદિ એ આવશ્યક કર્મ, મોક્ષમાર્ગની આરાધનામાં અનિવાર્ય છે. આ આવશ્યક વિધિપૂર્વક અને ઉપયોગ સહિત દરેક સાધકે કરવાં જોઈએ. ભાવાર્થ: હે પ્રભુ! મેં પ્રતિક્રમણાદિ એ આવશ્યક સમ્યક પ્રકારે એટલે કે રૂડી રીતે, વિધિ-ઉપયોગપૂર્વક એટલે કે શાસ્ત્રોમાં જે વિધિ બતાવી છે તે વિધિથી (જીવ ઘણીવાર વિધિની ઉપેક્ષા કરે છે અને જ્ઞાનોપયોગની સાવધાની રાખવાનું ચૂકી જાય છે, આમ કરવાથી આવશ્યક ક્રિયાઓનો અનાદર થઈ જાય છે. જે કર્મબંધનનું કારણ બની જાય છે). મેં આરાધ્યા નહીં, પાળ્યા નહીં, સ્વીકાર્યા નહીં અને વિધિ-ઉપયોગ રહિત, નિરાદરપણે કર્યા. તે આવશ્યકો આદરસત્કારપૂર્વક અને ભાવ-ભક્તિપૂર્વક કરવાં જોઈતાં હતાં, તેમ ન કર્યો. જ્ઞાનના ચૌદ, સમક્તિના પાંચ, બાર વ્રતના સાઠ, કર્માદાનના પંદર, સલ્લેખનાના પાંચ વગેરેના અતિચારો, તથા સાધુના ૧૨૫ અતિચારમાં તથા અનાચારણના શ્રદ્ધાદિકમાં વિરાધનાદિ કરી. આમ જે કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર વગેરે મેં સેવ્યાં, Janeducation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy