SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ - બ્રહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ સમૂહમાં કર્યા, નિદ્રામાં કે જાગૃતિમાં કર્યા, આ ભવમાં આગળના ભવોમાં – સંખ્યાત – અસંખ્યાત અને અનંતાભવોમાં પરિભ્રમણ કરતાં આજ દિવસ, અદ્યક્ષણ પર્યત, રાગ-દ્વેષના ભાવ, વિષય-કષાયના ભાવ, આળસ અને પ્રમાદાદિક પૌગલિક પ્રપંચ, અન્ય વસ્તુઓની પર્યાયો અને ગુણોને પોતાના માન્યા, તેથી આવા વિકલ્પો રૂપી ભૂલો કરી, તેમ કરતાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, દેશ ચારિત્ર, તપાદિની વિરાધના કરી. વળી શુદ્ધ શ્રદ્ધા-શીલ, વિવેક, સંવર, સામાયિક, પોસહ, પ્રતિક્રમણ, ધ્યાન, મૌનાદિ નિયમ, વ્રત, પચ્ચખાણ, દાન, શીલ, ક્ષમાદિક, મારા ચૈતન્યસ્વરૂપની વિરાધના કરી. ઉપશમ, વિવેક, સંવર, સામાયિક, પોસહ, પ્રતિક્રમણ, ધ્યાન, મૌનાદિ નિયમ, વ્રત, પચખાણ, દાન, શીલ, તપાદિની વિરાધના કરી; પરમ કલ્યાણકારી આ સર્વ બોલોની આરાધના, પાલન, આદિક મન, વચન અને કાયાના યોગથી કરી નહીં, કરાવી નહી, કરતાં પ્રત્યે અનુમોદના કરી નહી, તેથી મને વારંવાર ધિક્કાર હો. તે મારા સર્વ પાપો મિથ્યા થાઓ. “છએ આવશ્યક સમ્યક પ્રકારે વિધિ-ઉપયોગ સહિત આરાધ્યા નહીં, પાળ્યા નહીં, સ્પર્ચો નહીં, વિધિ-ઉપયોગ રહિતનિરાદરપણે કર્યા, પરંતુ આદર-સત્કાર-ભાવ-ભક્તિ સહિત નહીં કર્યા; જ્ઞાનના ચૌદ, સમકિતના પાંચ, બાર વ્રતના સાઠ, કર્માદાનના પંદર, સંખનાનાં પાંચ એવં નવ્વાણું અતિચારમાં તથા ૧૨૪ અતિચાર મધ્યે તથા સાધુના ૧૨૫ અતિચાર મળે તથા બાવન અનાચરણના શ્રદ્ધાદિકમાં વિરાધનાદિ જે કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારાદિ સેવ્યા, સેવરાવ્યા, અનુમોદ્યા, જાણતાં અજાણતાં મન, વચન, કાયાએ કરી તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy