SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ આલોચનાદિ પદ્યે સંગ્રહ કવિ અહીં બીજું દ્રષ્ટાંત પણ આપે છે. જેમ કોઈને ખસ કે ખરજવાનું દર્દ થયું હોય ત્યારે તેને તે ખંજવાળવામાં ખૂબ જ મઝા આવે છે. પણ પાછળથી તે મહાદુઃખરૂપ નીવડે છે. એટલે જ અહીં કહે છે કે પરપદાર્થોમાં આસક્ત થઈ મોહના નશામાં લાગતું ઈન્દ્રિયજન્ય સુખ તે સુખ નથી પણ સુખાભાસ જ છે; જે પાછળથી દુઃખની ખાણરૂપે જ પરિણમે છે. ‘પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં.' સુખ કહેતા અહીં આનંદ છે તે તો આત્માનો સહજ ગુણ છે. તે પ૨પદાર્થોમાંથી કદી મળી શકતો નથી. કારણ કે જડ પદાર્થોમાં સુખ નામનાં ગુણનું અસ્તિત્વ જ નથી. જ્ઞાનીઓ તો કહે છે કે “સુખ અંતરમાં છે; તે બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ.’’ (વ.પૃ.૨૧૩). આમ કામ-ભોગોનું આકર્ષણ અતિ ભયંકર છે. ઘણીવાર મોક્ષમાર્ગે ચડેલો જીવ પણ તેનાથી વશીભૂત થઈ પતીત થઈ જાય છે. સાધકે આની નિરંતર સાવધાની રાખવી જોઈએ. ૫. જય બૃહદ્ VOAST તપ સંયમનું ફળ:-- જપ તપ સંયમ દોહિલો, ઔષધ વી જાન; સુખકારન પીછે ઘનો, નિશ્ચય પદ નિરવાન. M ૧૨૯ . Jain Education International ૫. જેમ શારીરિક રોગ મટાડવા માટે યોગ્ય કડવા ઔષધાદિનું સેવન કરવું પડે છે અને વૈદ્ય કહે તેમ પરેજી પણ પાળવી પડે છે. ત્યારે જીવને આ બધું બહુ કઠણ લાગે છે. પણ તેમ કરવાથી રોગ મટે છે. અને આરોગ્યમાં સુખદ પરિણામ આવે છે. તેમ કામ-ભોગોના અનાદિ કાળના અભ્યાસના કારણે ઉત્પન્ન થતાં આ સંસાર પરિભ્રમણના રોગને મટાડવા માટે સદ્ગુરુ બતાવે તેવા યથાયોગ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy