SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ બૃહદ્ ૧૯. આર્તધ્યાનનો ત્યાગ કરોઃ- રાઈમાત્ર ઘટવધ નહીં, દેખ્યાં કેવળજ્ઞાન; યહ નિશ્ચય કર જાનકે, ત્યજીએ પરથમ ધ્યાન. ૧૯. આલોચનાદિ પદ્ય સંગ્રહ વિશ્વમાં અસ્તિત્ત્વ ધરાવતા પ્રત્યેક જીવ કે અજીવ દ્રવ્યોની અવસ્થાઓ સમયે સમયે સહજ રીતે પલટાયા કરે છે. તેથી જ સત્ ની વ્યાખ્યા “ઉત્પાત્વ્યયમ્રૌવ્યયુ સત્” (તત્વાર્થ સૂત્ર ૫/૩૦)માં કરી છે. એટલે કે પ્રત્યેક પદાર્થ પોતે દ્રવ્યથી કાયમ ટકીને પોતાની પર્યાયમાં વ્યવસ્થિતરૂપે પ્રત્યેક સમયે પલટાયા કરે છે. સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન ત્રણ લોક, ત્રણ કાળનું યુગપદૂષણે પ્રવર્તે છે. એટલે કે ભાવિ અનંત કાળમાં કોઈપણ પદાર્થની અવસ્થામાં થનારા બધા જ ફેરફારો વર્તમાનકાળમાં પણ તેમના જ્ઞાનમાં વ્યવસ્થિતપણે વર્તમાનવત્ ઝળકે છે. એનો અર્થ એ થયો કે જીવનમાં અત્યારે થતા દરેક જાતના સારા કે નરસા ફેરફારો સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં જે પૂર્વે જણાયા હતા તે પ્રમાણેના જ થયા કરે છે. તેમાં અંશ માત્ર પણ વધારો કે ઘટાડો થતો નથી. કેવળજ્ઞાનનું વ્યાવહારિક સ્વરૂપ જ આવું હોય છે. આવો દૃઢ નિશ્ચય થવાથી જીવને સમતાભાવ વર્તે છે. જેથી પહેલાં પ્રકારનું ધ્યાન કે જેને આર્તધ્યાન કહે છે, તે થવા પામતું નથી. આ આર્તધ્યાન ઘણું દુઃખરૂપ હોય છે. જેનાં શાસ્ત્રમાં ચાર પ્રકાર કહ્યા છે. (૧) ઈષ્ટ વસ્તુનો વિયોગ, (૨) અનિષ્ટ વસ્તુનો સંયોગ, (૩) શરી૨માં રોગ થવાથી દુઃખથી થતાં ક્લેશિત પરિણામ અને (૪) નિદાન એટલે કે ભવિષ્ય કાળના ભોગોની તૃષ્ણાથી થતાં માઠા પરિણામ. આમ જ્યારે જીવનમાં કોઈપણ જાતનાં ઈષ્ટ કે અનિષ્ટ બનાવો બને ત્યારે જો ઉપર બતાવ્યો છે તેવો સર્વજ્ઞ ભગવાનના જ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy