SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ એટલે કે સામ્યભાવમાં રહેવું તે નિશ્ચય સમ્યફચારિત્ર છે. જ્યાં સુધી આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી નિશ્ચય સમ્યક્રચારિત્રનો ઉદય થતો નથી. એટલે કે સમકિત વિનાનું ચારિત્ર તે એકડા વિનાના મીંડા સમાન છે, એટલે જ સમ્યકૂચારિત્રને જ ખરો ધર્મ કહ્યો છે. ચારિત્રના પાંચ પ્રકાર છે. (૧) સામાયિક = સમતારૂપ(સમાધિરૂપ) પરિણામ, (૨) છેદોપસ્થાપના = સામાયિકમાંથી પડી જવાય ત્યારે ફરી સામાયિકમાં સ્થિર થવું, (૩) પરિહારવિશુદ્ધિ = આત્માની વિશેષપણે શુદ્ધિ, અને (૪) સૂક્ષ્મ સાંપરાય = દશમા ગુણસ્થાનવર્તિ મુનિનું ચારિત્ર અને (૫) યથાખ્યાત = પૂર્ણ વીતરાગ દશા. ૪. તપ : તપ બાર પ્રકારના છે. (૧) અનશન, (૨) ઉણોદરી, (૩) વૃત્તિસંક્ષેપ, (૪) રસપરિત્યાગ, (પ) વિવિક્ત શય્યાસન અને (૬) કાયકલેશ આ છ બાહ્ય તપ છે. (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) કાયોત્સર્ગ અથવા વ્યુત્સર્ગ. આ છ અત્યંતર તપ છે. ઈચ્છાઓને રોકવી તેનું નામ તપ છે, આમ શુભાશુભ ઈચ્છાઓને રોકતાં જ્ઞાનોપયોગ શુદ્ધ થાય છે, જીવ સામ્યભાવમાં રહે છે તેથી કર્મોની નિર્જરા થાય છે. “તપસી નિની ર” (તત્વાર્થ સૂત્ર ૯૩). અજ્ઞાનીનું તપ તે બાલતપ કહેવાય છે અને તેથી કર્મોની માત્ર સ્થિતિ અને અનુભાગ ઘટે છે. નિશ્ચયથી તો તરંગ વિનાના ચૈતન્યનું પ્રતપન તે તપ છે. જેથી સ્વરૂપમાં સ્થિરતા થાય. આમ સમ્યજ્ઞાનનું સ્વરૂપ પદાર્થોને યથાર્થરૂપથી જાણવું, સમ્યગદર્શનનું સ્વરૂપ યથાર્થ શ્રદ્ધા કરવી, સમ્મચારિત્રનું સ્વરૂપ કર્મોને રોકવા અને તપનું સ્વરૂપ કર્મોનો ક્ષય કરવો તે છે. આ ચારેય કારણોથી મોક્ષમાર્ગમાં ગતિ મળે છે. મોક્ષમાર્ગમાં મુસાફરી કરતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy