SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ બૃહદ્ – આલોચનાદિ વધ સંગ્રહ મિથ્યાજ્ઞાન કહેવાય છે, જેને અજ્ઞાન પણ કહે છે. સિદ્ધનું, કેવળજ્ઞાનીનું, મુનિનું, શ્રાવકનું અને અવિરત સમ્યગૃષ્ટિનું જ્ઞાન મિથ્યાત્વરહિત હોય છે. ખરેખર મિથ્યાત્વ તે તો જીવની આત્મભ્રાંતિ જ માત્ર છે. (૨) દર્શન : અહીં દર્શનનો અર્થ શ્રદ્ધા થાય છે. અજ્ઞાની જીવને પ્રયોજનભૂત તત્ત્વોમાં મિથ્યા શ્રદ્ધા હોય છે, જ્યારે જ્ઞાનીને સમ્યફ શ્રદ્ધા હોય છે, જેને સમ્યગદર્શન કહેવાય છે. સમ્યગદર્શન થતાં જ પ્રયોજનભૂત જ્ઞાન પણ તે જ સમયે સમ્યફ થઈ જાય છે. અને અનંતાનુબંધી કષાયોનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય છે. શુદ્ધ સમ્યગ્દર્શન પામવા માટે નીચે પ્રમાણેનો ક્રમ શાસ્ત્રોમાં બતાવ્યો છે. (૧) સતદેવ, સદ્ગુરુ અને સતધર્મમાં યથાર્થ શ્રદ્ધા, (૨) જીવાદિ સાત તત્ત્વોની યથાર્થ પ્રતીતિ, (૩) સ્વ-પરના સ્વરૂપનું યથાર્થ ભેદજ્ઞાન અને, (૪) નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ. શાસ્ત્રોમાં સમ્યગ્દર્શનના મુખ્ય ત્રણ પ્રકારો કહ્યા છે.(૧) ઔપથમિક, (૨) ક્ષાયોપથમિક, (૩) ક્ષાયિક. વળી અન્ય નિમિત્તાદિની અપેક્ષાએ તેના દશ પ્રકારે પણ ભેદ જણાવ્યા છે. (૧) આજ્ઞા, (૨) માર્ગ, (૩) ઉપદેશ, (૪) અર્થ, (૫) બીજ, (૬) સંક્ષેપ, (૭) સૂત્ર, (૮) વિસ્તાર, (૯) અવગાઢ, અને (૧૦) પરમ અવગાઢ. સમ્યગદર્શનને શાસ્ત્રકારોએ ધર્મનું મૂળ કહ્યું છે, અથવા મોક્ષમાર્ગરુપી ચઢાણનું પહેલું પગથિયું કહ્યું છે. સર્વ ગુણાંશ તે સમ્યકત્વ' (વ. પૃ. ૨૦૭) (૩) ચારિત્રઃ અશુભ ક્રિયાથી નિવૃત્તિ અને શુભ ક્રિયામાં પ્રવૃત્તિ થવાને અર્થે પ્રતિમા(પડીમા), વ્રત, સમિતિ, ગુપ્તિ આદિરૂપ પ્રવૃત્તિ તેને ચારિત્ર કહે છે. આ વ્યવહાર ચારિત્ર છે. જ્યારે રાગ, દ્વેષ અને અજ્ઞાનથી રહિત થઈ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy