________________
અધ્યાત્મ પંથની યાત્રા
૧૪૨
નિજ નિરામય સંવેદનસે ભરિત આત્મકો પાતે હૈ, બંધમુક્ત બન ભગવન અપનેમેં તબ આપ સુહાતે હૈ"
સ્નેહમય બંધનોને છેદીને તથા મોહરૂપી જંજીરોને તોડીને, સચ્ચારિત્રથી યુક્ત થયેલો શૂરવીર પુરુષ મોક્ષમાર્ગમાં સ્થિર હોય છે. ઉત્તમ મનુષ્યભવને પામ્યો છે તો યત્નપૂર્વક ચારિત્રનું પાલન કર, સદ્ધર્મમાં દઢ ભક્તિ કર અને શાંતભાવમાં શ્રેષ્ઠ પ્રીતિ કર.”
“હે સમ્યક્દર્શની ! સમ્યક્ષ્યારિત્ર જ સમ્યક્રર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા. તે સમ્યકુચારિત્રી ! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણો અંતરાય હતો તે નિવૃત્ત થયો, તો હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે??
(હરિગીત) પરમબ્રહ્મ ચિંતન તલ્લીન હું મને કોઈ ભય શાપ દીયે, વસ્તુહરણ ચૂરણ વધ તાડન, છેદ ભેદ બહુ દુઃખ દીયે, ગિરિ અગ્નિ અબ્ધિ વન ફૂપે, ફેંકે વજે હણે ભલે; ભલે હાસ્ય નિંદાદિ કરો પણ અલ્પ ચિત્ત મુજ નહીં ચળે.
નિજામૃતપાન, ૧૭૮. छित्त्वा मोहमयान् पाशान् भित्त्वा मोहमहार्गलम् । सच्चारित्रसमायुक्तः शूरो मोक्षपथे स्थितः ।। उत्तमे जन्मनि प्राप्ते चारित्रं कुरु यत्नतः । सद्धौ च परां भक्तिं शमे च परमां रतिम् ।।
– શ્રી સારસમુચ્ચય, ૨૦, ૪૭. આચાર્ય શ્રી કુલભદ્રસ્વામી. શ્રીમદ્ રાજચંદ્ર : આત્યંતર-પરિણામ-અવલોકન-હાથનોંધ-૨, આંક ૭. શ્રીતત્ત્વજ્ઞાનતરંગિણી, ૪ (રા. જી. દેસાઈ કૃત ગુજરાતી પદ્યાનુવાદ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org