SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા અધ્યાત્મનો પંથ દર્શાવનાર જ્ઞાનીની વાણીનું માહાભ્ય (હરિગીત) ૧. જિનવચન ઔષધ આ, વિષયસુખનું વિરેચન અમીગણું; મૃત્યુજ રાવ્યાધિહરણ, ક્ષયકરણ દુઃખ સમસ્તનું. (હરિગીત) ૨. વિવેક ને સબોધ જે, કલ્યાણજન્ય પ્રશાંતને, સુતત્ત્વ ઉપદે શતી જે સંતો તણી વાણી ઠરે. ૩. “શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચન્દ્રથી ઉજ્જવળ શુક્લધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલા તે નિગ્રંથના પવિત્ર વચનોની મને-તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! એ જ પરમાત્માના યોગબળ આગળ પ્રયાચના.” ૪ જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. - (દોહા) વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરો ગનાં, કાયર ને પ્રતિકૂળ. મંત્ર તંત્ર ઔષધ નહીં, જે થી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય. ૧. શ્રી દર્શનપાહુડ/૧૭ (રા. છ. દેસાઈ કૃત પદ્યાનુસાર) ૨. શ્રી જ્ઞાનાર્ણવ/૧૮ એજન. ૩. શ્રીમદ્ રાજચંદ્ર વિ. પત્રાંક પ૨. ૪. એજન વ. પત્રાંક ક૭૯. ૫. અને ૩. એજન/પૃષ્ઠ ૩૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy