SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. આત્મા સાથે જોડાયેલા છે, તેમ ઘર-નગર આદિ જોડાયેલાં નથી, અર્થાત્ સ્થૂળપણે પણ તે બધાં આત્માથી ભિન્ન છે. આ કારણથી ઘર, નગર આદિના નિર્માણમાં આત્માને કહેવો તે ઉપચાર માત્ર છે. પ્રત્યક્ષ ભિન્નક્ષેત્રવાળાં હોવાથી તેમ કહેવું તે એક લોકવ્યવહાર અથવા સમાજવ્યવસ્થા છે, માટે તે પરમાર્થદષ્ટિએ જોતાં સત્યાર્થ નથી. આમ હોવા છતાં, સમાજવ્યવસ્થાની દૃષ્ટિએ તે સત્ય છે. જો તેને સર્વથા અસત્યાર્થ માનવામાં આવે તો સ્વધન-પરધન, સ્વ-સ્ત્રી પર-સ્ત્રી વગેરેના વિવેકનો અભાવ થશે. જો પરમાર્થમૂલક સદ્વ્યવહારરૂપ વિવેકનો લોપ કરવામાં આવે તો તીર્થવ્યવસ્થા બની શક્તી નથી. આમ, અનેકાંત પારમેશ્વરી વિદ્યામાં શ્રીગુરુઓએ જ્યાં જેમ ઉપદેશ કર્યો છે ત્યાં તેમ જાણવું, ત્યાં તેમ શ્રદ્ધવું અને ત્યાં તેમ આચરવું, જેથી સાધક-મુમુક્ષુને ઉચી ઉચી ભૂમિકાની પ્રાપ્તિ થઈ, અંતે મોક્ષપદની પ્રાપ્તિ થાય. કહ્યું છે કે : કોઈ નય જ્યાં દુભાતો નથી એવા જ્ઞાનીના વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઇચ્છા કરી હોય એવા પ્રાણીએ નયાદિકમાં ઉદાસીન રહેવાનો અભ્યાસ કરવો; કોઈ નયમાં આગ્રહ કરવો નહીં અને કોઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં, અને એ આગ્રહ જેને મટ્યો છે, તે કોઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઈચ્છી કરતો નથી.”૩ આ પ્રમાણે વિવિધ નયોની અપેક્ષાએ આત્મા કર્તા છે એવું ત્રીજુ પદ પ્રતિપાદિત કર્યું. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; • ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. –શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, ગાથા ૮ જે નય સાપેક્ષ છે તે સમય છે અને જે નિરપેક્ષ છે તે દુર્નય છે. સુનયોથી જ નિયમપૂર્વક સમસ્ત વ્યવહારોની સિદ્ધિ થાય છે.– શ્રી સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા,૨૦૦ ૩. :- શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક ૨૦૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy