SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫ અધ્યાત્મ પંથની યાત્રા કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે. તમને બધાને યથાયોગ્ય પહોંચે. જો અમારો તમારો પ્રત્યક્ષ સમાગમ જ્ઞાનીદષ્ટ હશે તો તેમ બનશે અને તે સમયે જો તમ મુમુક્ષુઓમાં બોધ ઝીલવાની પાત્રતા દૃષ્ટિગોચર થશે તો અમારા શ્રીમુખેથી તેમાં કહેલી ધર્મવાર્તાનો અલૌકિક અને અમૂલ્ય અર્થ સમજવાનું સૌભાગ્ય તમોને સાંપડશે. એમ જાણજો. વર્તમાનમાં તો આપણા પરસ્પર સમાગમનો યોગ દૃષ્ટિગોચર થતો નથી, પણ થોડા કાળમાં થવો સંભવે છે. તે કેવી રીતે અને ક્યા ક્ષેત્રે તે અંગે હજુ અનિશ્ચિતતા વર્તે છે. છેલ્લે અમ મહાત્માઓની તમ સર્વ મુમુક્ષુઓને ખાસ ભલામણ છે કે પોતાના આત્માને નિરંતર જાગતો રાખજો અને મોહદૃષ્ટિથી જગત તરફ ન જોતાં તત્ત્વદૃષ્ટિથી જોજો. આ કળિયુગમાં ભૌતિક સુખનાં સાધનોની ઝાકઝમાળ એટલી બધી વધી ગઈ છે અને અસ...સંગોનું સર્વત્ર એટલું બધું પ્રાબલ્ય છે કે શ્રાવકવર્ગ કે શ્રમણવર્ગ સૌને ખૂબ સાવચેતીથી ડગલું ભરવાનું છે, નહિ તો જાણશો કે માર્ગથી શ્રુત થવામાં જરા પણ વિલંબ નહિ થાય. માટે બને તેટલો સત્સંગ અને નિવૃત્તિક્ષેત્રનો લાભ લઈ જ્ઞાની પુરુષોએ કહેલા વસ્તુસ્વરૂપનો બરોબર ખ્યાલ રાખી રહેશો; અને સમયે-સમયે તથા પ્રસંગે-પ્રસંગે પોતાના વિચારોને તપાસતા રહીને જ્ઞાનીના બતાવેલા માર્ગે ચાલતા રહેજો. તમોને સર્વેને અમારા તરફથી ધર્મવૃદ્ધિની અને સુખાકારીની ભાવના ઇચ્છી વિરમું છું. 3ૐ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy