SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ આધ્યાત્મ પંથની યાત્રા સપુરુષમાં જ પરમેશ્વર-બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ઘર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દેખ્યત્વ સૂચવે છે; બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે, સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ.' વર્ત નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં પરમાર્થે સમકિત.” આમ, આત્મસ્વરૂપમાં યથાયોગ્ય નિઃશંકતાની ઊણપ તથા તે જ પરમાનંદરૂપ છે એ બાબતનો અનિશ્ચય - આ બે પેટાકારણોનો નિર્દેશ કર્યો. હવે, મુમુક્ષુદશામાં પણ અમુક પ્રકારના સુખનું વેદના થાય છે તેવું ત્રીજું પેટાકારણ દર્શાવે છે. જેમ જેમ ક્રોધાદિ ઉપશમ પામતા જાય અને સામાન્યપણે ભક્તિમાર્ગ આદિની આરાધના જામતી જાય તેમ તેમ સુખ ઉપજાવનારા બે પ્રકારનાં કારણો સાધકદશામાં આવી પડે છે. એક તો અનેકવિધ સાત્ત્વિક્તાના અંશો જેવા કે સંગુરુ-પરમાત્મા આદિના દર્શન-પૂજન-વિનય કરતાં કરતાં રોમાંચ, હર્ષાશ્રુ, કંઠનું ગદ્ગદ થઈ જવું, સમસ્ત શરીરનું પુલકિત થવું, દેહભાન કથંચિત્ વિસ્મૃત થઈ ભાવાવેશમાં નૃત્ય આદિ શુભ અનુષ્ઠાનમાં પ્રવર્તવું વગેરે ઊપજે છે જે સાધકને ઉલ્લાસ ઉપજાવે છે. આવાં અનેકવિધ સાત્ત્વિક આનંદનાં સ્પંદનોને જો તાત્વિક માની લેવામાં આવે તો સાધક આ વિશિષ્ટ શુભભાવની ભૂમિકામાં અટકી જાય છે અને સાક્ષાત્ મોક્ષમાર્ગથી (શુદ્ધભાવથી) વંચિત રહી જાય છે. બીજા પ્રકારનો આનંદ, જે મુમુક્ષુ દશામાં સહજપણે સંયોગવશાત્ આવી બને છે તે પવિત્રતા-મિશ્રિત પુણ્યોદયનો છે. મુમુક્ષુએ સંપાદિત કરેલાં જ્ઞાન-ભક્તિ-સદાચરણ આદિથી પ્રભાવિત થયેલો સામાન્ય ભક્તસમાજ, તે મુમુક્ષુની વિધવિધ સેવાશુશ્રુષા કરવા લાગી જાય છે. ૧. શ્રીમદ્ રાજચંદ્ર ૧. પત્રાંક-૧૦૮. ૨. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૧૧૧. Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy