SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પની ાવ્યા ૮૮. તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જે બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થયોગ્ય થઈ વિચાર દશાને પામે. વિચારધારાને પ્રાપ્ત કરવાની ઈચ્છા છોડી દેવી. આવા ઉપરોક્ત ક્રમિક જીવનપરિવર્તનને સ્વીકારીને સત્સંગના યોગે તત્ત્વચિંતન દ્વારા અંતરશોધન અને અંતર્મુખતાનો અભ્યાસ જે સાધક કરે છે તેને અલ્પકાળમાં મહાન સાધનદશા પ્રગટે છે. અસત્સંગઅસ...સંગોને સંક્ષેપવા માટે આગળ પ્રેરણા આપી દીધી છે, અહીં તો શ્રીગુરુ કહે છે કે જ્યાં સુધી તથારૂપ પ્રકારોથી નિવર્તીને સત્સંગનો આશ્રય નિયમિતપણે અમુક ચોક્કસ વિધિથી (મિથ્યા આગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને વિષયલોલુપતાને ઘટાડીને) અને દીર્ઘકાળ (ઘણા માસ કે વર્ષ) સુધી ન કરે ત્યાં સુધી સાધકનું વિચારબળનું સામર્થ્ય અતિ અલ્પ જ રહે છે, અર્થાત્ નહિવત્ રહે છે. જ્યાં સુધી વિચારબળ વધે નહિ ત્યાં સુધી યથાર્થ વિચારણા બની શકે નહિ અને તેવી સુવિચારણા વિના કોઈ પણ જીવને આત્મજ્ઞાન ઊપજી શકે નહીં. અસ...સંગ ઘટાડવા માટે અસત્સંગ ઘટાડવા માટે સત્સંગ યથાર્થપણે આરાધવા માટે વિચારો વિશુદ્ધ કરવા માટે | વિચારબળની વૃદ્ધિ માટે | અને | સાધકને પૂર્વે થયેલા મહાન જ્ઞાની પુરુષો આ પ્રમાણે પ્રેરણા કરે છે. - “આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy