SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી ૬૧ ન જતાં બધા મુમુક્ષુઓ સાથે મોરબી પાછા ફર્યા અને બીજે દિવસે મનસુખભાઈને સત્સંગનો લાભ આપ્યો. જ્ઞાનીની નિષ્કારણ કરુણા તે આનું નામ! મનને નવરું ન મેલવું'' એક વખન મુનિ મોહનલાલજીએ શ્રીમદુને પ્રશ્ન કર્યો : “મન સ્થિર રહેતું નથી, તો શો ઉપાય કરવો ?” શ્રીમદે ઉત્તરમાં જણાવ્યું, “એક પળનો સમય પણ નકામો જવા દેવો નહિ. વૈરાગ્યાદિની વૃદ્ધિ થાય તેવું કોઈ સારું પુસ્તક વાંચવું, વિચારવું. એ કાંઈ ન બની શકે તો છેવટ માળા ગણવી. પણ જો મનને નવરું મેલશો તો ક્ષણવારમાં તે સત્યાનાશ વાળી દેશે માટે તેને સવિચારરૂપી ખોરાક આપતા રહેવું. જેમ ઢોરને કાંઈ ને કાંઈ ખાવાનું જોઈએ, દાણાનો ટોપલો આગળ મૂક્યો હોય તો તે ખાધા કરે છે, તેમ મન ઢોર જેવું છે. બીજા વિક૯૫ બંધ કરવા માટે તેને સદ્વિચારરૂપી ખોરાક આપવાની જરૂર છે. મન કહે તેના કરતાં ઊલટું વર્તન કરવું, તેને વશ થઈને તણાઈ જવું નહિ, તેને ગમે તેના કરતાં આપણે બીજે ચાલવું.” ઉપસંહાર: શ્રીમદ્ રાજચંદ્રજીનું વ્યક્તિત્વ મુખ્યત્વે આધ્યાત્મિક રહ્યું છે. જોકે તેમના ટૂંકા આયુષ્યને લીધે તેમનો જીવનસંદેશ તેમની હયાતિમાં બહુજન સમાજ સુધી પહોંચી શક્યો નથી. પરંતુ આપણે એ ન ભૂલીએ કે તેઓ માત્ર એક મહાન સંત જ નહીં પણ એક પ્રબુદ્ધ કેળવણીકાર, જન્મજાત કવિ, લોકોત્તર સ્મરણશક્તિધારક, વિશિષ્ટ તર્કપટુતાના સ્વામી, અનેકવિધ અતીન્દ્રિય જ્ઞાનના અધિકારી, સમાજસુધારક, અહિંસાસત્યના પ્રયોગવીર અને પૂજારી, સ્ત્રી જાતિની સુધારણાના અને ભારતની સંસ્કૃતિના મહાન હિમાયતી તેમજ સર્વધર્મસમભાવના એક વિશિષ્ટ જ્યોતિર્ધર હતા. બદર્શનના સારરૂપ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, શ્રી મોક્ષમાળા, અપૂર્વ અવસર અને બીજા અનેક આધ્યાત્મિક પત્રો અને કાવ્યો દ્વારા આધ્યાત્મિક સાધકોને, અને સમાજ તથા ધર્મની નીતિમત્તાનાં ધોરણોને ઊંચે લાવવા નિષ્પક્ષપણે ઉચ્ચ કક્ષાનું સર્વતોમુખી માર્ગદર્શન આપનાર આ મહાપુરુષને ગમે તે કારણોસર આપણે યથાર્થપણે ઓળખી શક્યા નથી, અને તેમના ઉપદેશનો યથાયોગ્ય લાભ પણ લઈ શક્યા નથી. કેવળ ભાવુકતા કે કેવળ દોષદર્શનને બાજુમાં રાખી, ખરેખર તટસ્થ બની આપણે સૌ જો તેમને ઓળખીશું તો તે આપણને ઘણા લાભનું કારણ બનશે. દૂર-સુદૂરના લોકોને ને પણ તેમણે બોધેલા શાશ્વત સત્ય-સિદ્ધાંતોની જાણ થવાની સાથે સાથે શાંતિ, પ્રેમ, સદ્ગુણ પ્રત્યેનો પ્રમોદ, વિચારોની સહિષ્ણુતા, સાત્વિકતા, સત્ય-અહિંસા અને વિશ્વબંધુત્વનો સમાજમાં ફેલાવો થશે; પરિણામે સૌ કોઈનું કલ્યાણ થશે. શ્રીમની ઉપદેશ પ્રસાદી” શ્રીમદે ૩૩ વર્ષની ટૂંકી જિંદગીમાં આપણને ઘણો વિસ્તૃત, પરમ ઉપકારક અને સર્વગ્રાહી બોધ આપ્યો છે. અહીં તો માત્ર સામાન્ય વાચકવર્ગ માટે તેમના ઉપદેશમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy