SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરા પોતાનું જીવન શ્રીમદ્ગ સર્વથા સમર્પિત કરી દીધું હતું. તેમણે અનેક પ્રકારનાં કષ્ટો વેઠીને પણ અપૂર્વ ગુરુભક્તિ અને ઉગ્ર સાધના દ્વારા મહાન આત્મકલ્યાણ કર્યું. * શ્રી અંબાલાલભાઈ : તેઓ મૂળ ખંભાતના વતની હતા. તેમની તીવ્ર સ્મરણશક્તિને લીધે શ્રીમદ્ તેમને શાસ્ત્રના કે પત્રોના ઉતારા કરવા માટે આપતા. શ્રીમદુના દેહાવસાન પછી તેમનું સાહિત્ય એકત્રિત કરવામાં અને વ્યવસ્થિત કરવામાં તેઓનો અનન્ય સહયોગ હતો. વિ. સં. ૧૯૬૧માં તેઓનો દેહોત્સર્ગ થયો. * શ્રી જહાભાઈ: શ્રીમના અલ્પકાળના સાન્નિધ્યથી નાની ઉંમરમાં જ આત્મકલ્યાણ કરનાર આ એક મહાન જિજ્ઞાસુ આત્મા હતા. ત્રેવીસ વર્ષની યુવાન વયે વિ. સં. ૧૯૪૬ માં તેઓનો સ્વર્ગવાસ થયો. * શ્રી મનસુખભાઈ : મોરબીના રહીશ શ્રી મનસુખભાઈ કીરચંદ મહેતાએ શ્રીમદુને થોડા કાળના પરિચયમાં જ જ્ઞાની તરીકે ઓળખી લીધા હતા. શ્રીમદ્ પ્રત્યે તેમને અનન્ય ભક્તિ ઉત્પન્ન થઈ હતી. જ ગાંધીજી: ગાંધીજીએ પોતાના માર્ગદર્શક તરીકે માનેલા ત્રણ પુરુષોમાં, આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે શ્રીમદ્ રાન્ચન્દ્ર અગ્રગણ્ય છે. ઘણા લેખકોએ ગાંધીજીને એક ‘મહાત્મા’ અને શ્રીમદ્રને એક “ધર્માત્મા'નું બિરુદ આપેલું છે. ઉપર્યુક્ત મહાનુભાવો ઉપર શ્રીમદ્ રાજચંદ્રની ખૂબ જ અસર થઈ હતી. પરિણામે તેમના જીવનની દિશા જ બદલાઈ ગઈ ! આ ઉપરાંત બીજા પણ અનેક પુરુષો ઉપર તેમના જીવનની અને બોધની ઠીક ઠીક અસર પડી હતી જેમાં નીચેના મહાનુભાવો મુખ્ય છે : અમદાવાદના શ્રી પોપટલાલ મહોકમચંદભાઈ શાહ, મોરબીના ન્યાયાધીશ શ્રી ધારશીભાઈ સંઘવી, શ્રી માણેકલાલ ઘેલાભાઈ, શ્રી રેવાશંકર જગજીવનદાસ ઝવેરી શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા, શ્રી ત્રિભોવન માણેકચંદ, શ્રી ઝવેરભાઈ શેઠ, શ્રી જેસીંગભાઈ ઉજમશી, શ્રી લહેરચંદભાઈ, શ્રી ડુંગરશીભાઈ, ખીમજી દેવજી, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, છોટાલાલ માણેકચંદ, વિનયચંદ પોપટભાઈ દફતરી, અનુપચંદ મલકચંદ વગેરે. ( કેટલાક પ્રેરક પ્રસંગો ) “નિષ્કારણ કરૂણા” શ્રીમદ્ એક વખત મોરબીથી વવાણિયા જતા હતા. સ્ટેશને મૂકવા માટે શ્રી મનસુખભાઈ મહેતા આદિ કેટલાક મુમુક્ષુઓ ગયા હતા. ગાડી આવવાનો સમય હતો. તેથી બધા ધર્મચર્ચા કરતા હતા. તે અરસામાં મનસુખભાઈને કોઈ બોલાવવા આવ્યું એટલે ઘેર જવું પડ્યું. તેથી ગાડી આવતાં સુધીનો સત્સંગનો લાભ જવા બદલ તેમને મનમાં ને મનમાં ખૂબ ખેદ થયો. તે ખેદ પ્રગટ ન કરતાં મનસુખભાઈ ઘેર ગયા, પણ એ ખેદ શ્રીમદ્ પામી ગયા અને પછીથી ગાડી આવી ગઈ હોવા છતાં તેઓ વવાણિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy