SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી અંતિમ સાધના અને દેહવિલય [વિ. સં. ૧૯૫૨ થી ૧૯૫૭ ]: આ સમયને તેઓશ્રીની ઉગ્ર આરાધનાનો વિશેષ કાળ ગણી શકાય. ઉપાધિનો યોગ તે દરમિયાન ઓસરતો ગયો અને બાહ્યાંતર અસંગદશા પ્રગટ કરવાની નેમ ઠીક ઠીક અંશે પાર પડી. આ સમય દરમિયાન તેઓ અધ્યયન, ચિંતન, મનન કરતા રહ્યા તેમજ આહારનો, વસ્રોનો, પ્રસંગોનો, દેહાધ્યાસનો તથા અન્યનો દેઢતાપૂર્વક અપરિચય કરતા, જેથી સકળ સંયમી તરીકેનું જીવન આગળ ઉપર અંગીકાર કરી શકાય. ઉત્તરસંડાના જંગલમાં, કાવિઠામાં તથા ઈડરમાં તેઓ જે રીતે ઉગ્ર એકાંતચર્ચામાં રહેતા તે પ્રસાંગોનો મુમુક્ષુઓએ ઉલ્લેખ કર્યો છે. તેમાં રાત્રે તેઓ પોતાની સાથે કોઈને પણ રહેવાની આશા આપતા નહિ, પથારીનો ઉપયોગ કરતા નહિ, એક જ વસ્ત્રનો અને એક જ આહારનો પ્રયોગ કરતા અને પગરખાં પણ વાપરતા નહિ. ડાંસ-મચ્છર, ઠંડી-ગરમી વગે૨ે સમભાવે સહન કરતા અને મૌન-ધ્યાન માટે એકાંત નિર્જન પ્રદેશમાં રહેતા. તેઓ વર્ષના ચાર કે છ માસ કે વધારે સમય સુધી સતત મુંબઈથી બહાર સાધના-ક્ષેત્રોમાં સત્સંગ અને અસંગદશાની સાધના અર્થે રહેતા, પત્રવ્યવહારાદિ પરમાર્થ સિવાય ભાગ્યે જ કરતા અથવા સંક્ષેપમાં કરતા. વિ. સં. ૧૯૫૫માં તેઓએ વ્યાપારાદિનો ત્યાગ કરી માતા પાસે દીક્ષાજીવન અપનાવવાની રજા માગી, પણ બીજા વર્ષે જ તેમના શરીરે તેમને સહકાર આપવાનું છોડી દેતાં વિઘ્ન ઊભું થયું અને વિ. સં. ૧૯૫૭માં તો તેમનો દેહવિલય થયો. નિવૃત્તિસાધનાના આ તબક્કા દરમિયાન તેઓ મુખ્યત: નીચેનાં ગામોમાં રહ્યા : ૫૯ (૧) ચરોતર પ્રદેશ : કાવિઠા, આણંદ, નડિયાદ, ઉત્તરસંડા, વસો, ખેડા, રાળ, વડવા, ખંભાત. મોરબી, વવાણિયા, રાજકોટ, વઢવાણ, (૨) સૌરાષ્ટ્ર પ્રદેશ : સાયલા, વિરમગામ. (૩) અન્ય પ્રદેશો : ઈડર, અમદાવાદ, નરોડા, ધરમપુર, ઇત્યાદિ. આમ, શુદ્ધાત્મશાનના પ્રકાશ પછી પણ તેઓએ સતતપણે આત્મબળની વૃદ્ધિ કરી દેહવિલય પર્યંત મોક્ષમાર્ગમાં પોતાનું પ્રયાણ ચાલુ રાખ્યું હતું. આરાધક-વર્ગ : જેમ જેમ પુષ્પની સુગંધી ફેલાય છે તેમ તેમ ચારે દિશાઓમાંથી ભમરાઓ તે તરફ સ્વયં આકર્ષિત થઈને આવે છે. આ જ પ્રમાણે અનેક જિજ્ઞાસુઓ પોતપોતાની રીતે શ્રીમદ્જી તરફ આદર, સન્માન અને ભક્તિની દૃષ્ટિથી જોતા થઈ ગયા. જેમકે, * શ્રી સોભાગભાઈ : શ્રીમદ્ના સમસ્ત પત્રસાહિત્યનો લગભગ ચોથો ભાગ જેમના ઉપર લખાયેલો છે તેવા સરળતા, સૌમ્યતા, શરણાગતિ, સાચી સંસ્કારિતા અને જિજ્ઞાસાની મૂર્તિસ્વરૂપ શ્રી સોભાગભાઈ શ્રીમદ્ના પરમ સખા હતા. * શ્રી લઘુરાજ સ્વામી : શ્રીમદ્ના આ અનન્ય ઉપાસક ખરેખર મહાન સ્વ-પર કલ્યાણ સાધી ગયા. મૂળમાં સ્થાનકવાસી સાધુ તરીકે દીક્ષિત થયા હોવા છતાં તેઓએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy