SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો આત્મા જ્ઞાન પામ્યો તે નિ:સંશયછે; ગ્રંથિભેદ થયો ને ત્રણે કાળમાં સત્ય વાત છે.” જૈન દર્શનની રીતિએ જોતાં સમ્યક્દર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે. વિ. સં. ૧૯૪૭માં શ્રીમદ રાળજ મુકામે લખેલાં ચાર કાવ્યો આત્મદર્શનની પ્રસાદીરૂપે આપણને આપ્યાં છે; તેનો આત્મહિતેચ્છુઓએ સ્વકલ્યાણાર્થે બરાબર ઉપયોગ કરી લેવા જેવો છે. તે ચાર કાવ્યો આ પ્રમાણે છે: (૧) હે પ્રભુ ! હે પ્રભુ! શું કહું . . . . . . . (૨) યમ નિયમ સંયમ આપ ક્યિો... (૩) જડ ભાવે જડ પરિણમે... ... (૪) જિનવર કહે છે જ્ઞાન એકાંત સાધનાનો રંગ: અનંતની યાત્રાના રસિક એવા શ્રીમદ્રને શુદ્ધ આત્મશાનની ઉપલબ્ધિ થઈ તોપણ કુટુંબ” અને “લક્ષ્મી બન્નેથી આત્યંતિક વિરક્તિ થઈ શકે તે હેતુથી તેઓ નિયમિત વધુ અને વધુ સમય માટે મુંબઈની બહારનાં વિવિધ નિવૃત્તિક્ષેત્રોમાં રહેવા લાગ્યા; જેથી ત્યાગ-વૈરાગ્યની વૃદ્ધિ સાથે પ્રતિબંધ વગર એકાંત અધ્યયન અને ચિંતન-મનનનો યોગ સિદ્ધ થઈ શકે. તેમનો પુરુષાર્થ સમયની અપેક્ષાએ બે વિભાગમાં વહેંચી શકાય: (૧) વિ. સં. ૧૯૪૭ થી વિ. સં. ૧૯૫૧ (પ્રથમ તબક્કો) (૨) વિ. સં. ૧૯૫૨ થી દેહવિલય પર્યત (બીજો તબક્કો) પ્રથમ તબકકો : આ તબક્કા દરમિયાન તેમના પુરુષાર્થને અવરોધક ઘણો વિપરીત કર્મોદયનો હતો, તેથી પ્રગતિ પણ તેટલા પ્રમાણમાં મંદ ગતિથી જ થઈ શકે તેમ હતું. આમ અનેક વિપરીત સંજોગો હોવા છતાં આત્મજ્ઞાન અને વૈરાગ્યના બળ વડે તેઓ પોતાના પુરુષાર્થમાં જરા પણ ન્યૂનતા આવવા દેતા નહિ, અને ખૂબ જ સાવધાનીથી આત્માની નિર્મળતા જળવાય અને વધે તેવી સાવધાની રાખ્યા કરતા. જીવનમાં પ્રગટ થયેલી મૈત્રી, પ્રમોદ આદિ ભાવનાઓ વર્ધમાન થાય અને બાહ્યાંતર સંયમ ગ્રહણ પ્રત્યે ઉદ્યમવંત બની શકાય તેવા પ્રયોજનથી તેઓએ જે નિવૃત્તિક્ષેત્રોમાં સત્સંગની અને આત્મસાધનાની આરાધના કરી હતી તેની વિગતો નીચે પ્રમાણે છે: • સમય નિવૃત્તિક્ષેત્ર વિ. સં. ૧૯૪૭ ભાદરવો-આસો રાળજ તથા વવાણિયા વિ. સં. ૧૯૪૮ કાતિક સુદથી માગશર સુદ વવાણિયા, મોરબી, આણંદ વિ. સં. ૧૯૪૯ ભાદરવા માસમાં આઠ-દસ દિવસ પેટલાદ તથા ખંભાત વિ. સં. ૧૯૫૧ લગભગ ૨ માસ વવાણિયા, રાણપુર, ધર્મજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy