SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી જ્યોતિષશાસ્ત્ર દ્વારા માત્ર ભૌતિક ઉન્નતિની જ વિશેષ સાંભાવના હતી. આથી તે બન્નેને તેઓએ ‘કલ્પિત’ની શ્રેણીમાં મૂકી દીધાં અને આત્માર્થસંપન્નતા માટે શમ, વૈરાગ્ય, અધ્યયન, ચિંતન અને એકાંતચર્યાને પોતાના જીવનનું મુખ્ય ધ્યેય બનાવ્યું. વેપાર અને વ્યવહાર : આજીવિકા અર્થે શ્રીમદ્ ઝવેરાતનો વેપાર કરતા હતા. સામાજિક ક્રાંતિના ક્ષેત્રે શ્રીમદે સ્રી-કેળવણી, કજોડાના સંબંધનો વિરોધ, આર્યપ્રજાની પડતીનાં કારણો, ખર્ચાળ લગ્નજમણોનો વિરોધ વગેરે વિષયો ઉપર ગદ્ય-પદ્યમય રચનાઓ દ્રારા નવજાગૃતિનો પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો. ૫૭ ગૃહસ્થાશ્રામપ્રવેશ : વિ. સં. ૧૯૪૪માં વીસ વર્ષની વયે શ્રીમદે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. શ્રી રેવાશંકરભાઈ જગજીવનદાસભાઈ મહેતાના મોટાભાઈ શ્રી પોપટલાલભાઈની સુપુત્રી ઝબકબહેન સાથે તેઓ વિ. સં. ૧૯૪૪ ના મહા સુદ બારસને દિવસે લગ્નગ્રંથિથી જોડાયા. શ્રીમદ્નું ગૃહસ્થાશ્રમમાં રહેવું કોઈ અન્ય કારણે નહીં પણ પૂર્વકર્મથી નિવૃત્ત થઈ જવા માટે હતું એમ માની શકાય. આત્માર્થના સાધકને ગૃહસ્થાશ્રમ સર્વથા બાધક છે એમ માનનાર માટે શ્રીમદ્નું જીવન એક પડકારરૂપ છે. આ બાબત તે સમય દરમિયાન લખેલા અનેક પત્રોમાં સ્પષ્ટ થાય છે: * ‘સ્ત્રીના સંબંધમાં કોઈ પણ પ્રકારે રાગ-દ્વેષ રાખવા મારી લેશ માત્ર ઇચ્છા નથી પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટકયો છું. * ‘બન્ને ધર્મમૂર્તિ થવા પ્રયત્ન કરીએ, મોટા હર્ષથી પ્રયત્ન કરીએ. તમે સ્વચ્છતાને બહુ ઇચ્છજો, મારી ભક્તિને સમભાવથી ઇચ્છજો.' * કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે, મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે.’ ચિંતન, મનન અને આત્મસાક્ષાત્કાર : શ્રીમદ્નું સમસ્ત વ્યક્તિત્વ ગંભીર ચિંતન અને સતત ધર્માભિમુખતાનું પ્રતિબિંબ હોવા છતાં સમસ્ત જીવસૃષ્ટિ પ્રત્યેના તેમના પ્રેમપૂર્ણ વ્યવહારનું પણ આપણને દિગ્દર્શન કરાવી જાય છે. બાળપણથી જ લાગેલી ઉન્નત જીવન જીવવાની ધૂન, જાતિસ્મરણસાન, ગહન શાસ્રાધ્યયન, વધતો જતો વૈરાગ્ય, ‘સત્’ના જ રટણ અને અનુભવની સતત ઝંખના, સતત સદ્ગુણોની વૃદ્ધિનો પુરુષાર્થ અને સત્શાસ્ત્રો દ્વારા જાણેલાં તત્ત્વોના અર્થનું ઉપશમભાવ સહિત અંતર્ ર્દષ્ટિપૂર્વક ઊંડું ચિંતન-મનન, આ બધાં વિવિધ સત્સાધનોના અનુષ્ઠાનથી વિ. સં. ૧૯૪૭માં તેમને શુદ્ધ આત્મજ્ઞાનનો પ્રકાશ થયો : ઓગણીસેં સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે; ત્ અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય રે દિવસ.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy