SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો કેરીઓની ટોપલી લઈને સાગર આવી રહ્યા હતા ત્યારે તેમણે એક સ્ટેશન પર જોયું કે કેટલાંક ગરીબ બાળકો મુસાફરો દ્વારા ફેંકેલી કેરીની ગોટલીઓ ચૂસી રહ્યાં છે, ત્યારે તેમણે તે બધાં બાળકોને લાઇનમાં ઊભાં રાખીને સાથે લાવેલી બધી જ કેરીઓ વહેંચી દીધી. સાગર આવ્યા અને જ્યારે ચિરોંજાબાઈએ પૂછ્યું કે ભાઈ ! બનારસથી લાંગડા કેરી લાવ્યા નથી ? વર્ણીજીએ જવાબ આપ્યો “બાઈજી, લાવ્યો તો હતો, પરંતુ સ્ટેશને ગરીબોને વહેંચી દીધી.’’ બાઈજીએ સંતોષ વ્યક્ત કર્યો. આ પ્રસંગમાં વર્ણીજીની ઉદારતા સ્પષ્ટપણે જણાઈ આવે છે. ૧૦૦ દયા-કરુણા : બીજાનું દુ:ખ જોઈને વર્ણીજીના અંતઃકરણમાં, રોમેરોમમાં કરુણા જાગી ઊઠતી અને દુ:ખી-પીડિતોને મદદ કરવા તેઓ તત્પર થઈ જતા. ઠંડીની ઋતુમાં કોઈ ઠંડીથી ધ્રૂજતો ગરીબ માણસ દેખાય તો તેઓ પોતાના શરીર પરનું વસ્ત્ર તેને આપી દેતા. એક વાર બહારગામથી સાગર પાછા આવતી વખતે એક ગરીબ હરિજન મહિલાને તેમણે પાણી પિવડાવીને લોટો પણ આપી દીધો હતો અને શરીર પર પહેરેલ ધોતી તથા દુપટ્ટો પણ આપી દીધેલાં. પછી શરીર પર માત્ર એક લંગોટ સાથે તેઓ સાગરમાં પ્રવેશ્યા હતા. આમ દયાને ખાતર તેઓ શરીરની લજજાની પણ પરવા કરતા નહોતા. હૃદયના પારખુ : વર્ણીજીમાં બીજાનું હૃદય પારખવાની અદ્ભુત ક્ષમતા હતી. તોફાનીમાં તોફાની છોકરાના હૃદયને તેઓ પારખી લેતા અને તેને પોતાની પાસે બોલાવીને ભણાવતા. આવા કેટલાયે વિદ્યાર્થીઓ પાછળથી વિદ્રાન બન્યાના દાખલા મળે છે. ઉત્તમ વકતૃત્વશક્તિ : વર્ણીજીમાં પ્રભાવશાળી વક્તૃત્વશક્તિ હતી. પ્રવચન કરતી વખતે તેમના મુખમાંથી અમૃત ઝરતું હોય તેવો ભાસ થતો. આગમના ગહન વિષયોને પણ તેઓ સફળતાપૂર્વક વિવિધ દૃષ્ટાંતોથી શ્રોતાઓના હૃદયમાં ઉતારી શકતા. ધાર્મિક ઉપરાંત રાષ્ટ્રીય પ્રશ્નોને લગતા વિષય પર પણ તેમનું વક્તૃત્વ આકર્ષક રહેતું અને હજારોની જનતા તેમના પ્રભાવક વક્તવ્યથી મંત્રમુગ્ધ બની જતી. તેમની ભાષા બુન્દેલખંડી મિશ્રિત ખડી બોલી હતી. સફળ લેખક : પૂજય વર્ણીજીએ પોતાની સ્વાભાવિક ભાષામાં ઘણું ઘણું લખ્યું છે. તેમને ડાયરી લખવાની કળા સહજસિદ્ધ હતી. પોતાની ડાયરીમાં તેઓ ઘટનાઓના ઉલ્લેખની સાથે સાથે અંત:કરણથી ઉદ્ભવેલાં સુંદર સુભાષિતોનો સંગ્રહ પણ કરતા. સમાધિમરણમાં સ્થિત વ્યક્તિઓના માટે તેમણે લખેલ પત્રો પ્રકાશિત થયા છે. આ પત્રોમાં કેટલાયે આગમોનાં રહસ્ય ભરેલાં છે. તેમની ડાયરીઓના આધારે ‘વર્ણીન વાણી’ના ચાર ભાગ પ્રકાશિત થયા છે. આચાર્ય કુન્દકુન્દના ‘સમયસાર' પર તેમણે પ્રવચનાત્મક ઢંગથી લખેલી ટીકા પ્રસિદ્ધ છે. તેમણે પોતાની આત્મકથા “મેરી જીવનગાથા” નામથી લખી છે, જે અત્યંત લોકપ્રિય બની છે. દરેક સાધક મુમુક્ષુએ તે વાંચવા લાયક છે. ‘મેરી જીવનગાથા’ની વર્ણનશૈલી અત્યંત સરળ અને સુબોધપૂર્ણ છે. આ આત્મકથામાં તેમણે પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy