SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ * સંતશ્રી ગણેશપ્રસાદજી વર્ણી આ વિદ્યાલય જૈન સમાજનું સર્વોપરી વિદ્યાલય મનાય છે, જેમાંથી સ્વ. પં. બંસીધરજી, સ્વ. પં. દેવકીનંદજી, સ્વ. પં. માણિકચંદજી, આદિ મહાનુભાવ વિદ્ધાનો નિર્માણ થયા છે. ૯૯ થોડા સમય પછી પં. મદનમોહન માલવિયાજીના પ્રશંસનીય પ્રયત્નોથી વારાણસીમાં હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ. તેના અભ્યાસક્રમોમાં અનેક પ્રાચ્યદર્શનોના ગ્રંથોનો સમાવેશ કરવામાં આવ્યો. પં. અમ્બાદાસ શાસ્રી તથા ગણેશપ્રસાદજીના પ્રયત્નોથી આ વિશ્વવિદ્યાલયમાં જૈનદર્શનનો પાઠચક્રમ પણ સામેલ કરવામાં આવ્યો અને તે અનુસાર પરીક્ષાની વ્યવસ્થા પણ થઈ, જે એક મોટી સિદ્ધિ ગણાય. સતર્ક સુધાતરગિણી પાઠશાળાની સ્થાપના : શ્રી ગણેશપ્રસાદજીના પ્રયત્નોથી વિ. સં. ૧૯૬૮ની અક્ષયતૃતીયાના દિવસે સાગરમાં ઉપર્યુક્ત પાઠશાળાની સ્થાપના થઈ, જે આજે ગણેશ દિગમ્બર જૈન સંસ્કૃત વિદ્યાલયના નામથી પ્રખ્યાત છે. ગણેશપ્રસાદજીના પ્રયત્નથી આ પાઠશાળાનો વિકાસ થયો અને હજારો ગરીબ વિદ્યાર્થીઓએ તેનો લાભ લીધો. ગણેશપ્રસાદજી તથા ધર્મમાતા ચિરોજાબાઈ સ્થાયીપણે ત્યાં રહેવા લાગ્યાં. સંયમમાર્ગના પંથે : સાગરમાં ગણેશપ્રસાદજી પંડિતજીના નામથી સુવિખ્યાત થઈ ચૂકયા હતા. કુંડલપુરમાં બાબા ગોકુલદાસજી (પંડિત જગન્મોહનલાલજીના પિતાશ્રી) પાસે બ્રહ્મચર્ય પ્રતિમા અંગીકાર કરી. ત્યારબાદ તેઓ વર્ણીજીના નામથી પ્રસિદ્ધિ પામ્યા. તે વખતે તેમણે પહેરવેશમાં માત્ર એક ધોતી અને દુપટ્ટો જ રાખ્યાં હતાં. રૂઢિનિવારણ અને શિક્ષાપ્રચાર : વર્ણીજીના સમયમાં બુન્દેલખંડમાં અનેક રૂઢિઓનો પ્રચાર હતો. નાની નાની બાબતોમાં લોકોનો જાતિવિચ્છેદ કરવામાં આવતો. આ પ્રક્રિયાથી ગરીબ પ્રજા ઘણી હેરાન થતી હતી. વર્ણીજી અને તેમના સહયોગીઓએ ગામેગામ પરિભ્રમણ કરીને અનેક કુરૂઢિઓનું નિવારણ કરાવ્યું અને ત્રસ્ત ગરીબ જનતાનો ઉદ્ધાર કર્યો. નૈનાગિરી, સોનાગિરી, પૌરાજી, અહારજી આદિ સ્થાનો પર શિક્ષાસંસ્થાઓ ખોલાવી જેથી એ પ્રાંતમાં શિક્ષણનો ખૂબ સારો પ્રચાર થઈ શકે. શ્રી વર્ણીજીના પુણ્યપ્રતાપે આજે બુન્દેલખંડ વિદ્વાનોનો ગઢ મનાય છે. તેમણે સ્થાપેલી શિક્ષણસંસ્થાઓ આજે પણ ઉત્તમ વિદ્વાનો તૈયાર કરી રહી છે. ગુરુભકિત તથા વિશુદ્ધ પ્રેમ : વર્ણીજીની ગુરુભક્તિ ઉત્તમ હતી. અંબાદાસ શાસ્ત્રી પાસે જ્યારે તેમણે અષ્ટસહસ્રીનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે તેમણે ભક્તિથી ગદ્ગદિત થઈ હીરાની એક વીંટી તેમને ભેટ આપી હતી. કેવળ અંબાદાસજી જ નહિ જે જે વિદ્વાનો પાસે તેમણે અધ્યયન કર્યું હતું તે બધાં પ્રત્યે તેમને અપાર ભક્તિભાવ અને આદરમાન હતાં. જે વિદ્વાનો વર્ણીજીના શિષ્ય કે પ્રશિષ્ય થતા હતા, તેમના પ્રત્યે પણ વર્ણીજી યથોચિત સન્માનનો ભાવ રાખતા હતા. દરેક વિદ્વાનનો યથાયોગ્ય આદરસત્કાર થાય તેની તેઓ ખાસ કાળજી રાખતા હતા. ઉદારતાના અવતાર : વર્ણીજીની ઉદારતા અદ્ભુત હતી. પોતાના માટે આવેલી વસ્તુનો પણ ત્યાગ કરતાં તેઓ જરાય અચકાતા નહોતા. એક વાર વર્ણીજી લંગડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy