SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સંતશ્રી ગણેશપ્રસાદજી વર્ણી ૧૦૧ જીવનપ્રસંગોને સરસ રીતે આવરી લીધા છે. તેમણે શ્લોકાર્તિકની ટીકા લખવાની સરસ શરૂઆત કરેલી, પણ તે પૂરી થઈ શકી નથી. તેમનાં વચનામૃતો અત્યંત મનનીય અને પ્રેરક છે. દરેક સાધક માટે તે અત્યંત ઉપયોગી છે. ગૌરવવંતા સંસ્થાપક : વર્ણજી શિક્ષાસંસ્થાઓના સંચાલન માટે દાન આપવાની સમાજને પ્રેરણા આપતા. તેમની એવી માન્યતા હતી કે પ્રાંતમાં જે સંસ્થા હોય, તે સંસ્થાનું તે પ્રાંતના લોકો જ સંચાલન કરે અને તેનો વિકાસ કરે તેમાં જ તેમનું ગૌરવ રહેલું છે. તેઓ લાખોનું દાન કરાવતા, છતાં કદી તેમણે રૂપિયાને હાથ લગાડ્યો નથી. પૈસાની ઉધરાણી, સંરક્ષણ તથા તેના ઉપયોગ સંબંધી વ્યવસ્થા તે વ્યવસ્થાપકો પર છોડી દેતા. વિકટ સ્વાભિમાની : એક વાર વણજી સાગરથી દ્રોણગિરિ જઈ રહ્યા હતા. મોટરમાં તેઓ આગળની સીટ પર બેઠા હતા, પરંતુ થોડા વખતમાં જ એક સરકારી ઑફિસરના આવવાથી તેમને તે સીટ છોડી પાછળ બેસવું પડ્યું. વર્ણાજીને આ વાત અસહ્ય લાગી અને તેઓએ વાહન માત્રનો ત્યાગ કર્યો. વાહનનો ત્યાગ કર્યા પછી તેમણે કેટલાયે માઈલ પદયાત્રા કરી. આમ, વર્ણજી સ્વાભિમાનની રક્ષા આવશ્યક સમજતા હતા. સ્વતી વ્રતધારી : ઈ. સ. ૧૯૪૪માં વર્ગીજી જ્યારે ઈસરીથી સાગર આવ્યા ત્યારે તેમણે જાતે દશમી પ્રતિમાનાં વ્રતો ધારણ કર્યા હતાં. સાગરની આસપાસ ભ્રમણ કરીને તેમણે આમજનતાના શિક્ષણ પ્રત્યે સારું એવું આકર્ષણ ઊભું કર્યું હતું. સાગરથી પગપાળા પરિભ્રમણ કરતાં વણજી બરૂઆસાગર પહોંચ્યા, ત્યારે ત્યાં મોટો ઉત્સવ ચાલુ હતો. ત્યાં તેમણે જિન પ્રતિમા સમક્ષ વી. સં. ૨૪૭૬ના ફાગણ સુદ સાતમના રોજ શુલ્લક દીક્ષા અંગીકાર કરી. ક્ષુલ્લક અવસ્થામાં જ તેમણે ઉત્તરપ્રદેશ તથા દિલ્હીમાં વિહાર કર્યો હતો અને ત્યાંથી વળતાં ફિરોઝાબાદમાં ધામધૂમપૂર્વક તેમની હીરક જયંતી મનાવવામાં આવી હતી. શાંતિનિકેતન, ઈસરી(પારસનાથ): હીરક જયંતીના ઉત્સવ બાદ શ્રી વર્ણીજીવિહાર કરતા કરતા સાગર પહોંચ્યા. ત્યાં ચાતુર્માસની સ્થાપના કરી. ચાતુર્માસ દરમિયાન થયેલાં તેમનાં પ્રવચનો સાક્ષાત અમૃત વચન સમાન હતાં. પોતાની ઉત્તરાવસ્થામાં કોઈ શાંત, પવિત્ર વાતાવરણમાં સ્થિર થવાય અને સ્વ-પરકલ્યાણમય તથા અધ્યાત્મસાધનામય જીવન જીવાય તેવા દીર્ધદષ્ટિવાળા આશયથી ચાતુર્માસ પછી તેઓએ સમેતશિખરની યાત્રા પ્રયાણ કર્યું. વચ્ચે ગયાનું ચાતુર્માસ સમાપ્ત થયે, તીર્થરાજની વંદના કરીને ઈસરી તરફ પ્રસ્થાન કર્યું. તેઓ જીવનના અંત સુધી મોટે ભાગે અહીં જ રહ્યા. વણજીની ઇચ્છા હતી કે તેમનું સમાધિમરણ ઈસરીમાં પાર્શ્વનાથ પ્રભુના પાદમૂળમાં થાય. વર્ણજી ઈસરીમાં સ્થિર થયા ત્યાર પછી ત્યાં ખૂબ જ સારો વિકાસ થયો. ધર્મશાળાઓ ઉપરાંત પાર્શ્વનાથ ઉદાસીનાશ્રમ, મહિલાશ્રમ, જિનમંદિર તથા વિશાળ પ્રવચનમંડપ પણ બંધાયા. આમ, વણજીના આ સ્થાનના નિવાસને કારણે ઈસરી એક તીર્થ સમું બની ગયું હતું. અનેક ધર્માત્માઓ મહિનાઓ સુધી અહીં રહીને સાધનામય જીવન વિતાવતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy