SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ સાચું સમ્યક્ત્વ પામવાની ઇચ્છા, કામના, સદાય રાખવી. * બોધસાર વીતરાગ પુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષતા કેમ ઉત્પન્ન થાય ? સભ્યજ્ઞાન ક્યાંથી થાય ? સમ્યક્દર્શન ક્યાંથી થાય ? સમ્યચારિત્ર ક્યાંથી થાય ? કેમ કે એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હોતી નથી. * જે સદ્ગુરુના દર્શન માત્રથી પણ અનાદિ મૂર્છા પામેલો એવો સાધક જીવ પ્રેરણા પામે છે. જેમની મન, વચન અને કાયાની કોઈ પણ પ્રવર્તનામાં દિવ્યતા જ ઝળકી રહી છે, જેઓ આ જગતની કોઈ પણ પ્રકારની તૃષ્ણાથી પીડાતા નથી અને માત્ર સ્વ-પર કલ્યાણના હેતુથી જ જેમની જીવનસરિતા સહજપણે વહ્યા કરે છે તેવા ગુરુને હું વારંવાર નમસ્કાર કરું છું. સદ્ગુરુની વાણીનું શ્રવણ થતાં જાણે કે કાનમાં અમૃતસિંચન થાય છે અને સાધકને આત્મિક જીવન જીવવાની પરમ પ્રેરણા મળે છે, તેવા શ્રી ગુરુદેવની વાણી સહજ છે, તેમના જીવનમાંથી વહે છે, સર્વ જીવોનું કલ્યાણ કરનારી છે, સ્વાનુભવમુદ્રિત છે, આત્માર્થબોધક છે, પૂર્વાપર વિરોધ રહિત છે, ગંભીર આશયવાળી છે અને યથાર્થ વસ્તુસ્વરૂપનો પ્રકાશ કરી જીવનને ઉન્નત બનાવનારી છે. આવી વાણીનું જે સાધકને શ્રવણ, મનન અને અનુશીલન થાય છે તે પોતે પણ સંત બની જાય છે. * * ગુરુનો મહિમા અને ઉપકાર વાણીમાં આવી શકે તેવાં નથી. જેમની કૃપાથી અજર-અમર અને અનુપમ પદની પ્રાપ્તિ થઈ, અને જેનાથી અનંતકાળ સુધી આ જીવ અતીન્દ્રિય એવા સમાધિસુખને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001287
Book TitleBodhsar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy