SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ [૮] ગુરુ-મહિમાનાં વચનો ગધવિભાગ : ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે અને ગુરુ જ મહાદેવ છે. ગુરુ સાક્ષાત્ બ્રહ્મસ્વરૂપ પરમાત્મા છે, તે ગુરુદેવને નમસ્કાર હો. અજ્ઞાનરૂપી અંધારાથી અંધ થયેલાં નેત્રોને જેમણે જ્ઞાનરૂપી અંજનની સળીથી ઉઘાડ્યાં તેવા શ્રીસદ્ગુરુદેવને નમસ્કાર હો. * જ્ઞાની પુરુષનો આશ્રય ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી સાધક જીવને હિતરૂપ કહ્યો છે તો અનાદિથી ભ્રાંત એવા જીવને સદ્ગુરુના યોગ વિના નિજસ્વરૂપનું ભાન થવું અશક્ય છે એમાં સંશય કેમ હોય ? પોતાના વિચારના બળે કરી, સત્સંગ-સશાસ્ત્રનો આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગયવહાર વિશેષ બળ કરે છે, અને ત્યારે વારંવાર શ્રીસદ્ગુરુ માહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું - અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે. Jain Education International * ધ્યાનનું મૂળ ગુરુની મૂર્તિ છે, પૂજાનું મૂળ ગુરુના ચરણકમળ છે, મંત્રનું મૂળ ગુરુનું વચન છે અને મોક્ષનું મૂળ ગુરુની કૃપા છે. * * ...તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યક્ત્વ. જેટલી જેટલી આસ્થા અને અપૂર્વપણું તેટલું સમ્યક્ત્વનું નિર્મળપણું સમજવું. આવું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001287
Book TitleBodhsar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy