SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ (૧૯) વિદ્યારં ચાતુ ગતતાં નિવૃત્તિ અસત્યોથી નિવૃત્ત થવું તે જ સાચી વિદ્યાનું ફળ છે. (૨૦) ૪ દિ કર્મ ચારિ તા િિનઃ. उपादेयं परं ज्योतिः उपयोगैकलक्षणं ॥ વિવેકી પુરુષને કર્મ (અહબુદ્ધિ) અને તેનું ફળ રાગાદિ ભાવો હેય (છોડવા યોગ્ય છે) અને પરમજ્યોતિ સ્વરૂપ ચૈતન્ય લક્ષણવાળો આત્મા જ ગ્રહણ કરવા યોગ્ય છે. (૨૧) પુસ્તસ્થા તુ યા વિદ્યા પરદસ્તે ગત ઘનનું ! कार्यकाले समुत्पन्ने न सा विद्या न तद्धनम् ॥ જરૂરત પડ્યે (આપણા) જે પૈસા બીજા પાસે હોય અને આપણું) જે જ્ઞાન પોથીગત હોય તે પૈસા અને તે જ્ઞાન ન હોવા બરાબર છે. (22) The end of all knowledge should be virtuous action. સાચી વિદ્યાનું અંતિમ લક્ષ્ય સત્કર્મ કરવું તે છે. (23) Knowledge is proud in that it has learnt a lot; Wisdom is humble in that it does not know much. વિદ્વત્તાને અભિમાન છે કે તેણે બહુ શીખી લીધું, જ્ઞાન નમ્ર છે (કારણ કે) તે અધિક નથી જાણતું. (૨૪) શાસ્ત્રાવું રોઃ સમિઃિ જ્ઞાનમુત્યા વાત્મનઃ | तस्यावलम्बनं कृत्वा तिष्ठ मुद्यान्यसंगति ॥ શાસ્ત્રોનું મનન કરીને, સદ્ગુરુના ઉપદેશથી કે સહધર્મીઓના સત્સંગથી પોતાના આત્માનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરીને તેનું જ અવલંબન લેવું, તેનું જ મનન-ચિંતન કરવું અને અન્ય વસ્તુઓનો સંગ છોડવો. (૨૫) સુH વધુમોનિયા સર્જાતવિરામા ખનઃ ! शास्त्रमेतदधिगम्य साम्प्रतं सुप्रबोध इह जायतामिति ॥ આ માનવ દીર્ઘકાળથી નિરંતર મોહરૂપી નિદ્રાને લીધે સૂઈ ગયો છે. હવે તો તેણે અધ્યાત્મશાસ્ત્રો જાણવાં જોઈએ અને આત્મજ્ઞાન પ્રગટ કરવું જોઈએ. (૨૬) જ્ઞાન સમાન માન, ગતમેં અહો રન इहि परमामृत जन्मजरामृतु रोग निवारन ॥ જગતમાં જ્ઞાન જેવું સુખપ્રાપ્તિનું બીજું એક પણ કારણ નથી; જન્મજરા-મરણ અને રોગને નિવારવા માટે જ્ઞાન જ પરમ અમૃત છે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001284
Book TitleSadhna Sopan
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy