SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ નજીવન-વિજ્ઞાન - ભગવાન થવું હોય તો ભગવાનના સાચા દાસ બનવું; કારણ કે તે દાસત્વની સાધનાથી ધીમે ધીમે સાચું સ્વામિત્વ (સ્વામી જેવા મહાન ગુણો) પ્રગટે છે. ભગવાનનાં સાચાં દર્શન કરવા હોય તો સતત તેમનું રટણ કરતા રહેવું. માળાના મણકાની સાથે સાથે મનના મણકા પણ ફેરવીએ તો ચિત્ત શુદ્ધ થાય અને આપણું હૃદય સાચું મંદિર બની જાય. • જેમ મીઠા વગરની રસોઈ નીરસ હોય છે, તેમ સાચા પ્રેમ વિના કરેલી ઘણાં પ્રકારની ભક્તિ યોગ્ય ફળ આપતી નથી. ભગવાન પ્રત્યે પ્રેમ વધારવાના ઉપાયો : - ૧. દુનિયાના બીજા પદાર્થોમાંથી પ્રેમ ઓછો કરવો. ૨. સંત અને સદ્ગુરુની વાણીમાં વિશ્વાસ અને પ્રેમ રાખવો. ૩. ભગવાનના અને સંતોના ગુણોને સાચી રીતે ઓળખવા. ૪. જેમને તેવો પરમ પ્રેમ પ્રગટ્યો છે તેમનો વારંવાર અને ભાવપૂર્વક સાચી જિજ્ઞાસાથી સત્સંગ કરતા જ રહેવું. આ બધાં સાધનોમાં પરિપક્વતા થતાં પરમાર્થભક્તિ પ્રગટે છે, જે ભક્તિ સર્વોત્તમ સિદ્ધિને અપાવે છે. જેટલા સાચા ભક્તિભાવપૂર્વક આપણે ભગવાનનું નામ લઈએ તેટલા પ્રમાણમાં, સામાન્યપણે, તે જ વખતે સાત્ત્વિક આનંદનો અનુભવ આપણને થઈ શકે છે. ભક્ત અને ભગવાનને જોડનાર સેતુ (bridge) એ “સ્મરણ” છે. યોગીઓ તેને ધ્યાન કે સુરતા પણ કહે છે. 4- ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy