SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ –ન સંસ્કાર - * વિવેક વિવેકનો અર્થ ભેદ પાડવો એવો થાય છે. તેની વિચારણા નીચેની ત્રણ શ્રેણિઓ દ્વારા કરી શકાય ? વ્યવહારવિવેક : રોજબરોજના જીવનમાં સારું-નરસું, સત્યઅસત્ય, સ્વધન-પરધન, નાના-મોટા, ભક્ષ્ય-અભક્ષ્ય, દુર્ગુણીસદ્ગણી, સત્સંગ-કુસંગ, સુવિચાર-કુવિચાર આદિનો ભેદ કરીને જ આપણું જીવન સુધારી શકાય છે; માટે જીવનની ઉન્નતિનું મૂળ એ વિવેક જ છે. પરમાર્થવિવેક : એટલે સમ્યકજ્ઞાન, ભેદજ્ઞાન, આત્મજ્ઞાન, આત્મબોધ, વિવેકજ્ઞાન. સાવધાનીથી જીવવું, યત્નાથી જીવવું એ પણ પરમાર્થવિવેકમાં સમાવેશ પામે છે. ૩. સૂક્ષ્મવિવેક : હું ખરેખર જ્ઞાનસ્વરૂપી આત્મા જ છું. આ જગતનાં બંગલા, મોટર, ધન-ધાન્ય તથા સ્વજન – મિત્રો તે ખરેખર મારાં નથી; એટલું જ નહીં પણ આ શરીર, અંગ-ઉપાંગો, ઇન્દ્રિયો, વાણી, શ્વાસોચ્છવાસ અને સંકલ્પવિકલ્પો પણ મારું સાચું સ્વરૂપ નથી, એમ વારંવાર વિચારીને, નિર્મળ-અખંડ-જ્ઞાનાનંદસ્વરૂપ નિજાત્માનો લક્ષ કરવો, દૃષ્ટિ કરવી અને સ્થિરતાનો અભ્યાસ કરવો એ સૂક્ષ્મવિવેક છે. s- ૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy