SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર તેમ જ ખંત સહિત, કાર્યસિદ્ધિ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરવું એ કર્તવ્યનિષ્ઠાની ચરમસીમા છે. 2. Duty is Deity. ૩. “વોઃ સુ કૌશલમ્' શ્રીમદ્ભગવદ્ગીતા). કર્તવ્યનિષ્ઠાનાં અનેક ઉદાહરણો રામાયણમાંથી મળે છે. એક જ રાતમાં રામ રાજાને બદલે વનવાસી થઈ જાય છે, છતાં ચિત્ત પ્રસન્ન રહે છે. પિતાની આજ્ઞા પાળવાની જે કર્તવ્યનિષ્ઠા છે તે અદ્ભુત છે. સુગ્રીવને વચન આપ્યું હતું કે તારું કામ કરીશ; તો સર્વપ્રથમ તો સુગ્રીવને રાજ અપાવ્યું અને ત્યાર પછી જ સીતાજીની શોધના કાર્યમાં તેની સહાય લીધી. વિભીષણને યુદ્ધ પહેલાં જ “લંકેશ' તરીકે ઓળખાવી, તેને માટે જે કંઈ પણ ત્યાગાદિ કરવાં પડે તે સર્વ કર્યા અને માત્ર શરણાગત તરીકે તેને ન ગણતાં, એક યોગ્ય રાજા તરીકેની મૈત્રી તેની સાથે નિભાવી. * નિયમિત પ્રાર્થના દ્વારા જીવનશુદ્ધિ ભૂમિકા : ભક્ત માટે પરમાત્માની સાથે અંગત વાતચીત કરવાનું સાધન તે પ્રાર્થના છે. તેનાથી અહંકારનો નાશ થાય છે, ચિત્તની કાલિમા દૂર થાય છે, પાપો ભસ્મીભૂત થઈ જાય છે અને સન્માર્ગમાં આગળ વધવા માટે એક અનેરું બળ પ્રાપ્ત થાય છે. આ કારણોને લીધે, આવા વિપરીત કાળમાં સાચી પ્રાર્થના કરવી એ સાધક માટે આત્મકલ્યાણનું એક શ્રેષ્ઠ સાધન છે. તેથી જ તેને પુરુષાર્થ અને પ્રારબ્ધ વચ્ચેનો સેતુ મહાપુરુષોએ કહ્યો છે તે યોગ્ય જ છે. s-૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy